SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] [૧૩ જ્ઞાતાની ધારા-ચાલુ જ છે. ક્ષણે ક્ષણે જે આ વિભાવની પરિણતિ થઈ રહી છે તેનાથી છૂટી પરિણતિ ક્ષણે ક્ષણે ચાલ્યા જ કરે છે, તે કાંઈ અશરણ નથી. જેણે આત્માનું શરણ લીધું છે તેને તો આત્મામાં જ સુખ-શાંતિ-સ્વાનુભૂતિનું કાર્ય ચાલે છે. આત્માની નિર્મળતા વિશેષ પ્રગટ થાય તેવી વિશેષ પુરુષાર્થની દોરી ચાલ્યા જ કરે છે. સિદ્ધ ભગવાનને બધું છૂટી ગયું તો સિદ્ધ ભગવાન શું કરતા હશે ? દિવસ-રાત શું કરતા હશે ? સિદ્ધ ભગવાનને અનંતગુણ-પર્યાયો છે તે અનંતગુણ-પર્યાયોમાં પરિણમન કર્યા કરે છે. કર્તા ક્રિયા-કર્મ બધું અંતરમાં પ્રગટ થયું છે અને તે સહજ છે, આકુળતારૂપ નથી. આત્માનો નિવૃત્ત સ્વભાવ પૂર્ણ પ્રગટ થયો છે. ગુણનું કાર્ય ચાલ્યા કરે છે. જ્ઞાન જ્ઞાનનું કાર્ય કરે છે, આનંદ આનંદનું કાર્ય કરે છે. એમ અનંતગુણ અનંતગુણનું કાર્ય કરે છે તો પણ પરિણતિ નિવૃત્તિમય છે. સિદ્ધ ભગવાન આખો દિવસ આત્મામાં લીન રહે છે. અદ્ભુત અને અનુપમ દશામાં રહે છે અને તેમાં સંતુષ્ટ છે, તૃપ્તિ અને આનંદ છે. સમ્યગ્દષ્ટિને કયાંય બહાર જવાનું મન થતું નથી, તેમ જ કોઈ કાર્યમાં કર્તાબુદ્ધિએ જોડાવાનું મન થતું નથી. અંદરથી સ્વામિત્વબુદ્ધિએ બહાર જવાની ઈચ્છા થતી નથી. અસ્થિરતાએ જવાય છે તો જવાય છે. મુનિઓને તો બધું છૂટી ગયું છે અને નિવૃત્તિમય પરિણતિ વિશેષ છે. તેમાં તેઓ કાંઈ થાકતા નથી અને બહાર જવાનું મન પણ થતું નથી. હું આત્મામાં કેમ રહી જાઉં, સ્વાનુભૂતિની દશામાંથી ક્ષણે ક્ષણે બહાર આવવું પડે છે તેના કરતાં અંતરમાં શાશ્વત કેમ રહી જાઉં એવી ભાવના મુનિઓને હોય છે. તેમાં જ તેમને તૃપ્તિ અને આનંદ છે. ક્ષણે ક્ષણે બહાર જવું પડે છે તે ન જવાય તેવી તેમની ભાવના રહે છે. આત્માનું સ્થાન છોડીને બહાર જવું રુચતું નથી. અનંત આનંદ-સુખનું ધામ આત્માનો બાગ છોડીને બીજે ક્યાંય બહાર જવાનું મન થતું નથી. તેમનો આખો ટાઈમ આત્મામાં જ પસાર થાય છે. અને સમ્યગ્દષ્ટિને જ્ઞાયકની ધારા પ્રગટ છે, પુરુષાર્થની દોરી ચાલુ છે. તેથી તેમનો ટાઈમ કેમ પસાર થાય? તેવો પ્રશ્ન જ રહેતો નથી. આ જ માર્ગે અનંતા જીવોઅનંતા સાધકો મોક્ષ પામ્યા છે. ૧૧. પ્રશ્ન:- આપ ઉપાદાન ઉપર જોર વધારે આપો છો, જ્યારે શ્રીમદ્દજીનું વાંચીએ ત્યારે તેઓ નિમિત્ત ઉપર વિશેષ વજન આપતા હોય તેમ અમને લાગે છે. Please inform us of any errors on [email protected]
SR No.008316
Book TitleSwanubhutidarshan
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherJagjivan Bavchand Doshi Parivar Songadh
Publication Year1996
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy