SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪] [સ્વાનુભૂતિદર્શન સમાધાનઃ- એવું હોતું નથી. બધાને કહેવાનો આશય એક જ છે. દરેકને એમ કહેવું છે કે તું કર તો થાય. કોઈ નિમિત્ત તરફથી ભલે વાત કરતા હોય, પણ કરવાનું પોતાને જ છે. કોઈ વ્યવહાર તરફથી વાત કરતા હોય એટલે તે વ્યવહારનું કહે છે અને બીજા અધ્યાત્મનું કહે છે એમ કહેવાય નહિ. બધાનો આશય એક જ હોય છે. બધા ભાવલિંગી મુનિ મુક્તિના માર્ગે હતા. છતાં કોઈ વ્યવહારનાં શાસ્ત્રો રચે, તેથી તે બીજું કહે છે એમ હોય નહિ. બધાનો આશય એક જ હોય છે. ૧૨. પ્રશ્ન:- “આનંદનો દિવસ ” એમાં આપે જે લખ્યું છે કે “ચેતન્ય ભગવાન પોતાના નિર્વિકલ્પ સ્વરૂપમાં ખેલી રહ્યા હતા,–“રમી રહ્યા હતા ” આ વાક્ય તો કોઈ ગજબનું છે ! સમાધાનઃ- વસ્તુ ઉપર દષ્ટિ સ્થાપતાં પર્યાયમાં આત્મા રમતો પ્રગટ થાય છે. અનંતગુણસાગર આત્મા છે તે કોઈ જુદો જ છે, અદ્ભુત છે, ચમત્કારિક છે. સ્વાનુભૂતિમાં વિચારવું નથી પડતું કે ગોખવું નથી પડતું. પોતાના સ્વભાવમાં જ રમતો તે પ્રગટ થાય છે. કેમકે તે તેનો સ્વભાવ જ છે. તેનો રમ્ય-રમતો સ્વભાવ છે. વિકલ્પ છૂટતાં સહજ પ્રગટ થાય એવો જ તેનો સ્વભાવ છે. અનંતગુણપર્યાયમાં રમવું તે આત્માનો સહજ સ્વભાવ છે. મૂળ વસ્તુ પોતે પોતારૂપે રહીને પોતાના ગુણ-પર્યાયમાં રમે છે. તે તેનો સ્વભાવ જ છે. ૧૩. પ્રશ્ન- દષ્ટિ અને જ્ઞાનની સંધિ સમજાવવા કૃપા કરશો. અમે તો એક નક્કી કરવા જઈએ ત્યાં બીજું છૂટી જાય છે. સમાધાન- દષ્ટિને મુખ્ય રાખી જ્ઞાયકને ગ્રહણ કરવો. તેની સાથે સાથે જ્ઞાન પણ બધાનું થાય છે. તેમાં એક નક્કી કરે અને એક છૂટી જાય તેવું હોતું નથી. સાધનામાં દષ્ટિ અને જ્ઞાન સાથે હોય છે. દષ્ટિ લક્ષમાં રાખીએ તો જ્ઞાન છૂટી જાય અને જ્ઞાન લક્ષમાં રાખીએ તો દષ્ટિ છૂટી જાય તેમ બનતું નથી. પણ જો એકાંત ગ્રહણ કરે તો સાધના છૂટી જાય છે, નહીંતર તે છૂટી જાય તેમ ન બને. જે જ્ઞાયકને ગ્રહણ કરે તેને જ્ઞાનમાં એમ હોય છે કે આ પર્યાય છે. સાધનામાં પર્યાયનું જ્ઞાન હોય છે. સાધનામાં બધી નિર્મળ પર્યાયો પુરુષાર્થપૂર્વક આવે છે, છૂટી જતી નથી, આમ તેની સંધિ છે, એક જ્ઞાયકને ગ્રહણ કર્યો અને દૃષ્ટિ ત્યાં સ્થાપી દીધી તો બધું છૂટી જાય તેમ હોતું નથી. દષ્ટિ અને જ્ઞાનની સંધિ થઈ શકે છે, એકને મુખ્ય રાખે અને બીજું ગૌણ રાખે તો સંધિ Please inform us of any errors on [email protected]
SR No.008316
Book TitleSwanubhutidarshan
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherJagjivan Bavchand Doshi Parivar Songadh
Publication Year1996
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy