SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates [સ્વાનુભૂતિદર્શન ૧૫૨ ] પ્રશ્ન:- શાસ્ત્રના જ્ઞાનનો ઉઘાડ હોય તે શું ઘોલન નથી ? સમાધાનઃ- ના, તે ઘોલન નહિ. મૂળ તત્ત્વનું ઘોલન-ચૈતન્યનું થોલન તે અંદરનું ઘોલન છે, પછી તે ઘોલનમાં ઝાંઝુ ટકી ન શકે તો શાસ્ત્રના વિચાર આવે તે વાત જુદી છે. પ્રયોજનભૂત તત્ત્વના વિચાર આવે કે મારાં દ્રવ્ય-ગુણ-પર્યાય કેવાં છે? હું બધાથી ન્યારો છું તો કેમ ન્યારો થાઉં! કેમ અંતરમાં આ ભેદજ્ઞાન પ્રગટ થાય ? એમ વિચારો આવે. જેમ ભગવાન અને ગુરુના આંગણે ટહેલ મારે તેમ જ્ઞાયકને ગ્રહણ કરવા માટે વારંવાર ટહેલ માર્યા કરે, તેનો વારંવાર અભ્યાસ કર્યા કરે, ભગવાનના દર્શન માટે ભગવાનના દ્વારે ટહેલ મારતો હોય, ગુરુના દર્શન માટે ગુરુના આંગણે ટહેલ મારતો હોય, અને જ્યાં ભગવાનનાં દ્વાર ખૂલે અને ભગવાનનાં દર્શન થાય-ગુરુનાં દર્શન થાય તેમ ચૈતન્યના આંગણે ટહેલ માર્યા કરે કે ચૈતન્યનાં દર્શન કેમ થાય ? મા૨ા ચૈતન્યનો સ્વભાવ શું? તેની મહિમા શી ? તેમ જો વારંવાર ટહેલ મારે અને અભ્યાસ કરે તો ચૈતન્યનાં દ્વાર ખૂલી જાય ને દર્શન થાય. જો ભગવાનને દ્વારેથી છૂટી જાય-થાકી જાય તો દર્શન ન થાય. તેમ અહીં તેણે અંદરથી થાકવું નહિ–નિરાશ થવું નહિ. ગુરુની મહિમા લાગે તો ગુરુના આંગણે ટહેલ મારતાં ગુરુનાં દર્શન થાય તેમ ચૈતન્યના આંગણે વારંવાર ટહેલ માર્યા કરે, ચૈતન્યનો વિચાર–અભ્યાસ કર્યા કરે ને તેનું રટણ કર્યા કરવું જોઈએ. ચૈતન્ય ગ્રહણ નથી થતું માટે તેનું રટણ મૂકવું જોઈએ નહિ. અંતરમાં નાંખેલા જ સંસ્કાર છે તે અંદ૨માંથી કામ કર્યા વગર રહેવાના જ નથી. ૨૫૪. પ્રશ્ન:- હમારે વહ્યું મંદિર નહીં હૈ, શ્વેતાંબર મંદિર હૈ ઉસમેં જાનૈસે હમારા કયા નુકસાન હોગા ? સમાધાનઃ- યથાર્થ તત્ત્વ સમજનેસે બાહરમેં કયા કરના વો અપને આપ સમજમેં આયેગા. મેં જ્ઞાયક હું, ચૈતન્યસ્વભાવ હૂઁ ઔર વિભાવ મેરા સ્વભાવ નહીં હૈ, શરીર ભિન્ન હૈ. ઐસી ભેદજ્ઞાનકી બાત સમજો, પીછે યથાર્થ દેવ-શાસ્ત્ર-ગુરુ કૈસા હોતા હૈ ઔર અન્ય જગહ જાનેસે કયા નુકસાન હોતા હૈ વહ અપને આપ સમજમેં આ જાયગા. મૂળ પ્રયોજનભૂત જ્ઞાયકો સમજો. ઉસીમેં સચ્ચા દેવ-શાસ્ત્ર-ગુરુ આ જાતા Please inform us of any errors on [email protected]
SR No.008316
Book TitleSwanubhutidarshan
Original Sutra AuthorN/A
AuthorChampaben
PublisherJagjivan Bavchand Doshi Parivar Songadh
Publication Year1996
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy