________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[ ૧૪૫ પ્રશ્ન-પ્રથમ જ્ઞાનથી આત્માના સ્વરૂપનો ભેદપૂર્વક વિચાર કરે કે હું આવા જ્ઞાનસામર્થ્યથી ભરેલો છું? સમાધાન - પહેલાં વિકલ્પ દ્વારા નક્કી કરે છે. વિચારમાં એવા ભેદના વિચારો વચ્ચે આવ્યા વગર રહેતા નથી, પણ દષ્ટિ એક અભેદની કરવાની છે. દષ્ટિ અભેદ ઉપર ગઈ ને તેમાં લીન થતાં વિકલ્પ તૂટીને તેમાંથી સ્વાનુભૂતિ પ્રગટ થાય છે. પહેલાં નિશ્ચય કરે, વ્યવહાર વચ્ચે આવશે પછી તે મતિ-શ્રુતની બુદ્ધિને સમેટીને નિર્વિકલ્પ થાય છે. ર૩૮. પ્રશ્ન- સાધકની ભૂમિકામાં શુભરાગ આવે તેને સાધક હેયરૂપે જાણે છે તે બરાબર છે. જિજ્ઞાસુની ભૂમિકામાં, આપ કહો છો તેમ, અંદરમાં જ્ઞાયક અને બારમાં દેવશાસ્ત્ર-ગુરુ બંને રહે છે, પણ અમને એમ લાગે છે કે દેવ-ગુરુને જો સાથે રાખવા જઈએ તો અનાદિનો જીવને વ્યવહારનો પક્ષ છે. તેની સચિ છે, તેથી વ્યવહારની રુચિ થવાની શકયતા નથી લાગતી ? સમાધાન:- રુચિવાળા જીવને દેવ-શાસ્ત્ર–ગુરુ વચ્ચે આવ્યા વગર રહેતા નથી. મને મારું સ્વરૂપ કેમ ઓળખાય, ગુરુ મને શું માર્ગ બતાવે છે, ગુરુએ શું કહ્યું છે, એવા વિચારી તેને આવ્યા વગર રહેતા નથી. પણ તેથી તેને વ્યવહારનો પક્ષ આવી જાય છે તેમ નથી. તેને ભાવના રહે છે તેથી ભક્તિ આવ્યા વગર રહેતી નથી. ગુરુ એમ કહે છે કે તું તારા શુદ્ધાત્માને ઓળખ, બધા શુભભાવથી તારો શુદ્ધાત્મા જુદો છે. છતાં જિજ્ઞાસુને શુભભાવ આવ્યા વગર રહેતા નથી, પણ તેમાં વ્યવહારનો પક્ષ આવી જતો નથી. તે જીવ વ્યવહારથી લાભ માને, તેમાં સર્વસ્વ માને, તેનાથી મને મોક્ષ મળશે તેમ માને તો તેમાં વ્યવહારનો પક્ષ આવે છે. બાકી જે શુભભાવ આવે તેમાં વ્યવહારનો પક્ષ આવતો નથી. શુભભાવ આવે છે તેની સાથે જિજ્ઞાસુની શ્રદ્ધા એવી થઈ જતી નથી કે આ શુભભાવથી મને લાભ છે. જિજ્ઞાસુની શ્રદ્ધા અને રૂચિ તેમાં ભેગાં ભળી જતાં નથી.
જિજ્ઞાસુને બુદ્ધિપૂર્વક એવો નિર્ણય હોય છે કે ગુરુએ કહ્યું છે કે તારો શુદ્ધાત્મા વિકલ્પ વગરનું નિર્વિકલ્પ તત્ત્વ છે. શુભભાવ તારું સ્વરૂપ નથી એમ ગુરુએ જે કહ્યું છે તે તેણે વિચારથી દઢ કરેલ છે. તેથી શુભભાવ આવે એટલે તેમાં વ્યવહારનો પક્ષ આવીને એવી શ્રદ્ધા થઈ જતી નથી.
શુભભાવથી મને લાભ થાય, દેવ-શાસ્ત્ર-ગુરુ મને લાભ કરી દેશે, તેઓ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com