________________
૧૪૪]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[સ્વાનુભૂતિદર્શન છે. કર્મમાં અમુક જાતનો રસ ઘણો પડે છે, પણ તેને ભેદજ્ઞાનની ધારા વર્તે છે તેથી સ્થિતિ લાંબી પડતી નથી. ર૩૪. પ્રશ્ન-જેટલું આ જ્ઞાન છે તેટલો આ આત્મા છે તે વિશેષ સમજાવવા કૃપા કરશો. સમાધાન - ગુણ અને ગુણી અભેદ છે. જે આ જ્ઞાનલક્ષણ દેખાય છે તેટલો આત્મા છે. જ્ઞાન સિવાયનું બધું વિભાવ અને પર છે. જે આ જ્ઞાનલક્ષણ દેખાય છે તે જ્ઞાનલક્ષણથી તું આત્માને ઓળખી લે. જે જ્ઞાનલક્ષણ દેખાય છે તેટલો આત્મા છે. લક્ષ્ય-લક્ષણ એક જ છે-અભેદ છે. તેને ગ્રહણ કર. તું જ્ઞાયકને ગ્રહણ કરી લે. ૨૩૫. પ્રશ્ન- આ સિદ્ધાંતથી આચાર્યદેવને જ્ઞાયક ગ્રહણે કરાવવાનો હેતુ છે? સમાધાનઃ- હા, જ્ઞાયકને ગ્રહણ કરાવવો છે. જેટલું આ જ્ઞાન છે તેટલો આ આત્મા છે. બાકી જે દેખાય છે તે બધો વિભાવ છે. એક જ્ઞાનલક્ષણ આત્માને તું ઓળખી લે, એક જ્ઞાયકને ઓળખી લે. તેના ઉપર દષ્ટિ કર. ગુણ-ગુણી અભેદ છે તેના ઉપર દષ્ટિ સ્થાપી દે, તેમાં સંતોષ કર, તેમાં રુચિ કર, તેનાથી તૃપ્ત થા. તેમાં જ સર્વસ્વ છે, બહાર કંઈ નથી. તેના ઉપર દષ્ટિ સ્થાપીને તેનું જ્ઞાન કર, તેની પરિણતિ કર, તેમાંથી સંતોષ મળશે, તેમાંથી તૃપ્તિ આવશે ને તેમાંથી જ અપૂર્વ સુખ પ્રગટ થશે. ભગવાન-સ્વરૂપ આત્મામાં જ બધું ભરેલું છે.-જ્ઞાયકમાં જ બધું ભર્યું પડ્યું છે.
કોઈને એમ થાય કે એકલા જ્ઞાનમાં શું છે? જ્ઞાનમાંથી શું મળવાનું છે? પણ તે જ્ઞાનમાં અનંત-અનંત ભરેલું છે. જેટલું આ જ્ઞાન છે તેટલો આત્મા છે તેને તું ગ્રહણ કર. ૨૩૬. પ્રશ્ન- વ્યવહારના ઘણા ભેદ પડે પણ મુખ્યતા તો અભેદની છે ને? સમાધાન - ભેદ ઉપરથી દષ્ટિ ઉઠાવીને એક અભેદને ગ્રહણ કરવાનો છે. એક અભેદને ગ્રહણ કરતાં ભેદનું જ્ઞાન વચ્ચે આવી જાય છે, પણ ભેદ ઉપર તેને દૃષ્ટિ રાખવાની નથી. બીજું બધું જ્ઞાન કર અને દૃષ્ટિ અભેદ ઉપર કર. દષ્ટિ તેમાં સ્થાપ્યા પછી તેમાંથી શુદ્ધ પર્યાયો સ્વયં પ્રગટ થશે. પહેલાં તું યથાર્થ નિશ્ચય કરી કે જ્ઞાનસ્વરૂપ આત્મા તે જ હું છું. યથાર્થ દષ્ટિ પ્રગટ કર, દષ્ટિ જ મુખ્ય છે. દષ્ટિ એક અભેદ આત્મા ઉપર કર. ૨૩૭.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com