________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિર્જરાનુપ્રેક્ષા ]
[૬૧
તેનાથી ક્ષપકશ્રેણીવાળા ત્રણ ગુણસ્થાનમાં અસંખ્યાત ગણી થાય છે, તેનાથી બારમા ક્ષીણમોહગુણસ્થાનમાં અસંખ્યાત ગણી થાય છે, તેનાથી સયોગકેવલીને અસંખ્યાત ગણી થાય છે, તથા તેનાથી અયોગકેવલીને અસંખ્યાત ગણી થાય છે. એ પ્રમાણે ઉપર ઉપર અસંખ્યાત ગુણાકારરૂપ નિર્જરા છે તેથી તેને ગુણશ્રેણી નિર્જરા કહીએ છીએ.
હવે ગુણાકાર રહિત અધિકરૂપ નિર્જરા જેનાથી થાય છે તે અહીં કહીએ છીએ:
जो विसहदि दुव्वयणं साहम्मियहीलणं च उवसग्गं । जीणिऊण कसायरिडं तस्स हवे णिज्जरा विउला ।। १०९ ।। यः विषहते दुर्वचनं साधर्मिकहीलनं च उपसर्गम् । जित्वा कषायरिपुं तस्य भवेत् निर्जरा
विपुला । । १०९ ।।
અર્થ:- જે મુનિ દુર્વચન સહન કરે છે, અન્ય સાધર્મી મુનિ આદિ દ્વારા કરાયેલા અનાદરને સહન કરે છે, દેવાદિકોએ કરેલા ઉપસર્ગને સહન કરે છે;– એ પ્રમાણે કષાયરૂપ વૈરિઓને જીતે છે, તેને વિપુલ અર્થાત્ ઘણી નિર્જરા થાય છે.
ભાવાર્થ:- કોઈ કુવચન કહે તેના પ્રત્યે કષાય ન કરે, પોતાને અતિચારાદિ દોષ લાગતાં આચાર્યાદિક કઠોર વચન કહી પ્રાયશ્ચિત આપે-નિરાદર કરે તો પણ તેને નિષ્કષાયપણે સહન કરે તથા કોઈ ઉપસર્ગ કરે તેની સાથે પણ કષાય ન કરે, તેને ઘણી નિર્જરા થાય છે. रिणमोयणुव्व मण्णइ जो उवसग्गं परीसहं तिव्वं ।
संचिदं पुव्वं । । ११० ।।
पावफलं मे एदं मया वि जं ऋणमोचनवत् मन्यते यः उपसर्ग पापफलं मे एतत् मया अपि यत्
परीषहं
तीव्रम् ।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
संचितं
पूर्वम् ।। ११० ।।