________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૦]
( [ સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા मिच्छादो सद्दिट्ठी असंखगुणकम्मणिज्जरा होदि। तत्तो अणुवयधारी तत्तो य महव्वई णाणी।।१०६ ।। पढमकसायचउण्हं विजोजओ तह य खवयसीलो य। दंसणमोहतियस्स य तत्तो उवसमगचत्तारि।।१०७।।
खवगो य खीणमोहो सजोइणाहो तहा अजोईया। एदे उवरिं उवरिं असंखयगुणकम्मणिज्जरया।। १०८।। मिथ्यात्वतः सदृष्टि: असंख्यगुणकर्मनिर्जरो भवति। ततः अणुव्रतधारी तत: च महाव्रती ज्ञानी।। १०६ ।। प्रथमकषायचतुर्णां वियोजकः तथा च क्षपकशीलः च। दर्शनमोहत्रिकस्य च तत: उपशमकचत्वारः ।। १०७।। क्षपक: च क्षीणमोह: सयोगिनाथः तथा अयोगिनः। एते उपरि उपरि असंख्यगुणकर्मनिर्जरकाः।। १०८ ।।
અર્થ:- પ્રથમોપશમસમ્યકત્વની ઉત્પત્તિ વખતે ત્રણ કરણવર્તી (અધકરણ-અપૂર્વકરણ-અનિવૃત્તિકરણ એ ત્રણ કરણમાં વર્તતા) વિશુદ્ધપરિણામ સહિત મિથ્યાષ્ટિને જે નિર્જરા થાય છે, તેનાથી અસંતસમ્યગ્દષ્ટિને અસંખ્યાત ગણી નિર્જરા થાય છે. તેનાથી દેશવ્રતી શ્રાવકને અસંખ્યાત ગણી થાય છે અને તેનાથી મહાવ્રતી મુનિજનોને અસંખ્યાત ગણી થાય છે.
તેનાથી અનંતાનુબંધી કષાયનું વિસંયોજન કરવાવાળાને એટલે તેને અપ્રત્યાખ્યાનાવરણાદિરૂપે પરિણમાવનારને અસંખ્યાત ગણી થાય છે, તેનાથી દર્શનમોહનો ક્ષય કરવાવાળાને અસંખ્યાત ગણી થાય છે, તેનાથી ઉપશમશ્રેણીવાળા ત્રણ ગુણસ્થાનવર્તીને અસંખ્યાત ગણી થાય છે અને તેનાથી અગિયારમા ઉપશાંતમો ગુણસ્થાનવાળાને અસંખ્યાત ગણી થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com