________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
૩૨ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
અર્થ:- હું પ્રાણી ! તમે જુઓ તો ખરા આ મોહનું માહાત્મ્ય ! કે પાપવશ મોટો રાજા પણ મરીને વિષ્ટાના કીડામાં જઈ ઉત્પન્ન થાય છે અને ત્યાં જ તે રતિ માને છે-ક્રીડા કરે છે.
હવે કહે છે કે-આ પ્રાણીને એક જ ભવમાં અનેક સંબંધ થાય
છે.
पुत्तो वि भाउ जाओ सो वि य भाओ वि देवरो होदि । माया होदि सवत्ती जणणो वि य होदि भत्तारो ।। ६४ ।। एयमि भवे एदे संबंधा होंति एय-जीवस्स । अण्णभवे किं भण्णइ जीवाणं धम्मरहिदाणं ।। ६५ ।। युगलम् । पुत्र अपि भ्राता जातः सः अपि च भ्राता अपि देवर: भवति। माता भवति सपत्नी जनकः अपि च भवति भर्ता ।।६४।। एकस्मिन् भवे एते सम्बन्धाः भवन्ति एकजीवस्य । अन्यभवे किं भण्यते जीवानां धर्मरहितानाम्।।६५।।
અર્થ:- એક જીવને એક ભવમાં આટલા સંબંધ થાય છે તો પછી ધર્મરહિત જીવોને અન્ય ભવોના સંબંધમાં તો શું કહેવું? તે સંબંધ ક્યા ક્યા છે? તે કહીએ છીએ:- પુત્ર તો ભાઈ થયો અને ભાઈ હતો તે દિયર થયો, માતા હતી તે શોક થઈ અને પિતા હતો તે ભરથાર થયો. એટલા સંબંધ વસંતતિલકા વેશ્યા, ધનદેવ, કમળા અને વરુણને ( પરસ્પર ) થયા. તેમની કથા અન્ય ગ્રંથોથી અહીં લખીએ છીએ:
એક ભવમાં અઢાર નાતાની કથા
માલવદેશની ઉજ્જયનીનગરીમાં રાજા વિશ્વસેન હતો. ત્યાં સુદત્ત નામનો શેઠ રહેતો હતો. તે સોળ કોડ દ્રવ્યનો સ્વામી હતો. તે શેઠ એક વસંતતિલકા નામની વેશ્યામાં આસક્ત થયો અને તેને પોતાના ઘરમાં રાખી. તે ગર્ભવતી થઈ ત્યારે રોગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com