________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨. અશરણાનુપ્રેક્ષા तत्थ भवे किं सरणं जत्थ सुरिंदाण दीसदे विलओ। हरिहरबंभादीया कालेण य कवलिया जत्थ।।२३।।
तत्र भवे किं शरणं यत्र सुरेन्द्राणां दृश्यते विलयः। हरिहरब्रह्मादिका: कालेन च कवलिताः यत्र।। २३।।
અર્થ:- જે સંસારમાં દેવોના ઇદ્રોનો પણ વિનાશ જોવામાં આવે છે, જ્યાં હરિ અર્થાત્ નારાયણ, હુર અર્થાત્ દ્ધ અને બ્રહ્મા અર્થાત્ વિધાતા તથા આદિ શબ્દથી મોટા મોટા પદવીધારક સર્વ કાળ વડે કોળિયો બની ગયા તે સંસારમાં શું શરણરૂપ છે? કોઈ પણ નહિ.
ભાવાર્થ:- શરણ તેને કહેવાય કે જ્યાં પોતાની રક્ષા થાય, પણ સંસારમાં તો જેનું શરણ વિચારવામાં આવે તે પોતે જ કાળ પામતાં નાશ પામી જાય છે, ત્યાં પછી કોનું શરણ ?
હવે તેનું દષ્ટાંત કહે છે:सीहस्स कमे पडिदं सारंगं जह ण रक्खदे को वि। तह मिच्चुणा य गहिदं जीवं पि ण रक्खदे को वि।। २४।। सिंहस्य क्रमे पतितं सारगं यथा न रक्षति क: अपि। तथा मृत्युना च गृहीतं जीवं अपि न रक्षति क: अपि।।२४।।
અર્થ- જેમ જંગલમાં સિંહના પગ તળે પડેલા હરણને કોઈપણ રક્ષણ કરવાવાળું નથી તેમ આ સંસારમાં કાળ વડે ગ્રહાયેલા પ્રાણીને કોઈપણ રક્ષણ આપી શકતું નથી.
ભાવાર્થ- જંગલમાં સિંહ કોઈ હરણને (પોતાના) પગતળે પકડે ત્યાં તેનું કોણ રક્ષણ કરે? એ જ પ્રમાણે આ, કાળનું દષ્ટાંત જાણવું. હવે એ જ અર્થને દઢ કરે છે. जइ देवो वि य रक्खदि मंतो तंतो य खेत्तपालो य। मियमाणं पि मणुस्सं तो मणुया अक्खया होति।।२५।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com