________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ ]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા यदि देवः अपि च रक्षति मन्त्र: तन्त्रः च क्षेत्रपाल: च। म्रियमाणं अपि मनुष्यं तत मनुजाः अक्षयाः भवन्ति।।२५।।
અર્થ - મરણને પ્રાપ્ત થતા મનુષ્યને જો કોઈ દેવ, મંત્ર, તંત્ર, ક્ષેત્રપાલ અને ઉપલક્ષણથી લોકો જેમને રક્ષક માને છે તે બધાય રક્ષવાવાળા હોય તો મનુષ્ય અક્ષય થઈ જાય અર્થાત્ કોઈપણ મરે જ નહિ.
ભાવાર્થ- લોકો જીવવાને માટે દેવપૂજા, મંત્રતંત્ર અને ઔષધી આદિ અનેક ઉપાય કરે છે. પરંતુ નિશ્ચયથી વિચારીએ તો કોઈ જીવતા (શાશ્વત ) દેખાતા નથી, છતાં નિરર્થક જ મોહથી વિકલ્પ ઉપજાવે છે.
હવે એ જ અર્થને ફરીથી દઢ કરે છે:अइबलिओ वि रउद्दो मरणविहीणो ण दीसदे को वि। रक्खिज्जंतो वि सया रक्खपयारेहिं विविहेहिं।। २६ ।।
अतिबलिष्ट अपि रौद्र: मरणविहीन: न दृश्यते क: अपि। रक्षमाणः अपि सदा रक्षाप्रकारैः विविधैः।। २६ ।।
અર્થ:- આ સંસારમાં અતિ બળવાન, અતિ રૌદ્ર-ભયાનક અને રક્ષણના અનેક પ્રકારોથી નિરંતર રક્ષણ કરવામાં આવતો હોવા છતાં પણ મરણ રહિત કોઈ પણ દેખાતો નથી.
ભાવાર્થ - ગઢ, કોટ, સુભટ અને શસ્ત્ર આદિ રક્ષાના અનેક પ્રકારોથી ઉપાય ભલે કરો પરંતુ મરણથી કોઈ બચતું નથી અને સર્વ ઉપાયો વિફળ (નિષ્ફળી જાય છે.
હવે પરમાં શરણ કહ્યું તેના અજ્ઞાનને દર્શાવે છે:एवं पेच्छंतो वि हु गहभूयपिसायजोइणीजक्खं। सरणं मण्णइ मूढो सुगाढमिच्छत्तभावादो।। २७।। एवं पश्यन् अपि खलु ग्रहभूतपिशाचयोगिनीजक्षम्। शरण मन्यते मूढः सुगाढमिथ्यात्वभावात्।।२७।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com