________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધૂવાનુપ્રેક્ષા ]
[૧૩ यः वर्धमानलक्ष्मी अनवरतं ददाति धर्मकार्येषु। सः पण्डितैः स्तूयते तस्य अपि सफला भवेत् लक्ष्मीः।। १९ ।।
અર્થ:- જે પુરુષ પુણ્યોદયથી વધતી જતી જે લક્ષ્મી, તેને નિરંતર ધર્મકાર્યોમાં આપે છે તે પુરુષ પંડિતજનો વડે સ્તુતિ કરવા યોગ્ય છે અને તેની જ લક્ષ્મી સફળ છે.
ભાવાર્થ- લક્ષ્મીને પૂજા, પ્રતિષ્ઠા, યાત્રા, પાત્રદાન અને પરોપકાર ઇત્યાદિ ધર્મકાર્યોમાં ખરચવાથી જ તે સફળ છે અને પંડિતજનો પણ તે દાતાની પ્રશંસા કરે છે.
एवं जो जाणित्ता विहलियलोयाण धम्मजुत्ताणं। णिरवेक्खो तं देदि हु तस्स हवे जीवियं सहलं ।।२०।। एवं यः ज्ञात्वा विफलितलोकेभ्यः धर्मयुक्तेभ्यः। निरपेक्षः तां ददाति खलु तस्य भवेत् जीवितं सफलम्।।२०।।
અર્થ:- જે પુરુષ ઉપર કહ્યા પ્રમાણે જાણીને ધર્મયુક્ત જે નિર્ધનજન છે તેમને, પ્રત્યુપકારની વાંચ્છારહિત થઈને, તે લક્ષ્મીને આપે છે તેનું જીવન સફળ છે.
ભાવાર્થ- પોતાનું પ્રયોજન સાધવા અર્થે તો દાન આપવાવાળા જગતમાં ઘણા છે, પરંતુ જે પ્રત્યુપકારની વાંચ્છારહિતપણે ધર્માત્મા તથા દુઃખી-દરિદ્ર પુરુષોને ધન આપે છે તેવા વિરલા છે અને તેમનું જ જીવિત સફળ છે.
હવે આગળ મોહનું માહાત્મ દર્શાવે છે:जलबुब्बुयसारिच्छं धणजोव्वणजीवियं पि पेच्छंता। मण्णंति तो वि णिच्चं अइबलिओ मोहमाहप्पो।।२१।।
जलबुबुदसदृशं धनयौवनजीवितं अपि पश्यन्तः। मन्यन्ते तथापि नित्यं अतिबलिष्ठं मोहमाहात्म्यम्।।२१।।
અર્થ:- આ પ્રાણી ધન-યૌવન-જીવનને જલના બદબુદની Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com