________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ભાવાર્થ- લક્ષ્મીમાં આસક્તચિત્ત થઈને તેને કમાવા માટે તથા તેની રક્ષા માટે જે અનેક કષ્ટ સહે છે તે પુરુષને માત્ર ફળમાં કષ્ટ જ થાય છે; એ લક્ષ્મીને તો કુટુંબ ભોગવશે કે રાજા લઈ જશે.
जो वड्डारदि लच्छि बहुविहबुद्धीहिं णेय तिप्पेदि। सव्वारंभं कुव्वदि रत्तिदिणं तं पि चिंतेदि।।१७।। ण य भुंजदि वेलाए चिंतावत्थो ण सुवदि रयणीये। सो दासत्तं कुव्वदि विमोहिदो लच्छितरुणीए।।१८।। यः वर्धापयति लक्ष्मी बहुविधबुद्धिभिः नैव तृप्यति। सर्वारम्भं कुरुते रात्रिदिनं तमपि चिन्तयति।।१७।। न च भुङ्क्ते वेलायां चिन्तावस्थः न स्वपिति रजन्याम्। સ: વાસ– 9તે વિમોહિત: નક્શીતળ્યા: ૨૮
અર્થ- જે પુરુષ અનેક પ્રકારની કળા-ચતુરાઈ–બુદ્ધિ વડે લક્ષ્મીને માત્ર વધારે જાય છે પણ તૃપ્ત થતો નથી, એના માટે અસિ, મસિ અને કૃષિ આદિ સર્વ આરંભ કરે છે, રાત્રિદિવસ તેના જ આરંભને ચિંતવે છે, વેળાએ ભોજન પણ કરતો નથી અને ચિંતામગ્ન બની રાત્રીમાં સૂતો (ઊંઘતો) પણ નથી તે પુરુષ લક્ષ્મીરૂપ સ્ત્રીમાં મોહિત થયો થકો તેનું કિંકરપણું કરે છે.
ભાવાર્થ- જે સ્ત્રીનો કિંકર થાય તેને લોકમાં મોહલ્યા' એવું નિંઘ નામ કહે છે. તેથી જે પુરુષ નિરંતર લક્ષ્મીના અર્થે જ પ્રયાસ કરે છે તે પણ લક્ષ્મીરૂપ સ્ત્રીનો મોહલ્યા છે.
હવે, જે લક્ષ્મીને ધર્મકાર્યમાં લગાવે છે તેની પ્રશંસા કરે છે:जो वड्डमाणलच्छि अणवरयं देदि धम्मकज्जेसु। सो पंडिएहिं थुव्वदि तस्स वि सहला हवे लच्छी।।१९।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com