________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૧
અધૂવાનુપ્રેક્ષા] जो संचिऊण लच्छि धरणियले संठवेदि अइदूरे। सो पुरिसो तं लच्छि पाहाणसमाणियं कुणदि।।१४।। यः सचित्य लक्ष्मी घरणीतले संस्थापयति अतिदूरे। स: पूरुषः तां लक्ष्मी पाषाणसमानिकां करोति।।१४।।
અર્થ:- જે પુરુષ પોતાની સંચિત લક્ષ્મીને ઘણે ઊંડે પૃથ્વીતળમાં દાટે છે તે પુરુષ એ લક્ષ્મીને પાષાણ સમાન કરે છે.
ભાવાર્થ- જેમ મકાનના પાયામાં પથ્થર નાખીએ છીએ તેમ તેણે લક્ષ્મી પણ દાટી, તેથી તે પણ પાષાણ સમાન જ થઈ. अणवरयं जो संचदि लच्छि ण य देदि णेय भुंजेदि। अप्पणिया वि य लच्छी परलच्छीसमाणिया तस्स।।१५।। अनवरतं यः संचिनोति लक्ष्मी न च ददाति नैव भुङ्क्ते।। आत्मीया अपि च लक्ष्मी: परलक्ष्मीसमानिका तस्य।।१५।।
અર્થ:- જે પુરુષ લક્ષ્મીનો નિરંતર સંચય જ કરે છે પણ નથી દાન કરતો કે નથી ભોગવતો, તે પુરુષ પોતાની લક્ષ્મીને પારકી લક્ષ્મી જેવી કરે છે.
ભાવાર્થ- લક્ષ્મી પામીને જે દાન કે ભોગ કરતો નથી તેને, તે લક્ષ્મી પેલાની (તેના ખરા માલિકની) છે અને પોતે તો માત્ર રખવાળ (ચોકીદાર) છે; એ લક્ષ્મીને તો કોઈ બીજી જ ભોગવશે.
लच्छीसंसत्तमणो जो अप्पाणं धरेदि कटेण। सो राइदाइयाणं कज्जं साहेदि मूढप्पा।।१६।। लक्ष्मीसंसक्तमनाः यः आत्मानं धरति कष्टेन। स राजदायादीनां कार्यं साधयति मूढात्म।। १६ ।।
અર્થ- જે પુરુષ લક્ષ્મીમાં આસક્તચિત્ત થઈને પોતાના આત્માને કષ્ટમાં રાખે છે તે મૂઢાત્મા માત્ર રાજાઓનું અને કુટુંબીઓનું જ કાર્ય સાધે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com