________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧. અઘ્રુવાનુપ્રેક્ષા
जं किंचि वि उप्पण्णं तस्स विणासो हवेइ णियमेण । परिणामसरूवेण वि ण य किंचि वि सासयं अत्थि ।। ४ ।। यत्किंचिदपि उत्पन्नं तस्य विनाशो भवति नियमेन । परिणामस्वरूपेणापि न च किंचिदपि शाश्वतमस्ति ॥ ४॥
અર્થ:- જે કાંઈ ઉત્પન્ન થયું તેનો નિયમથી નાશ થાય છે અર્થાત્ પરિણામસ્વરૂપથી તો કોઈ પણ (વસ્તુ) શાશ્વત નથી.
ભાવાર્થ:- સર્વ વસ્તુ સામાન્ય-વિશેષસ્વરૂપ છે; ત્યાં સામાન્ય તો દ્રવ્યને કહેવામાં આવે છે તથા વિશેષ, ગુણ-પર્યાયને કહેવામાં આવે છે. હવે દ્રવ્યથી તો વસ્તુ નિત્ય જ છે, ગુણ પણ નિત્ય જ છે; અને પર્યાય છે તે અનિત્ય છે, તેને પરિણામ પણ કહેવામાં આવે છે. આ જીવ પર્યાયબુદ્ધિવાળો હોવાથી પર્યાયને ઊપજતી-વિણસતી દેખીને હર્ષ-શોક કરે છે તથા તેને નિત્ય રાખવા ઈચ્છે છે; અને એ અજ્ઞાન વડે તે વ્યાકુળ થાય છે. તેથી તેણે આ ભાવના (અનુપ્રેક્ષા ) ચિંતવવી યોગ્ય છેઃ
હું દ્રવ્યથી શાશ્વત આત્મદ્રવ્ય છું, આ ઊપજે છે-વિણસે છે તે પર્યાયનો સ્વભાવ છે; તેમાં હર્ષ-વિષાદ શો? શરીર છે તે જીવ અને પુદ્દગલના સંયોગનિત પર્યાય છે અને ધન-ધાન્યાદિક છે તે પુદ્દગલના ૫૨માણુઓનો સ્કંધપર્યાય છે, એટલે તેનું મળવું-વિખરાવું નિયમથી અવશ્ય છે, છતાં તેમાં સ્થિરતાની બુદ્ધિ કરે છે એ જ મોહજનિત ભાવ છે. માટે વસ્તુસ્વરૂપ જાણી તેમાં હર્ષ-વિષાદાદિરૂપ ન થવું. આગળ તેને જ વિશેષતાથી કહે છે:
जम्मं मरणेण समं संपज्जइ जोव्वणं जरासहियं । लच्छी विणाससहिया इय सव्वं भंगुरं मुणह ॥ ५ ॥
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com