________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪]
( [ સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા इय जाणिऊण भावह दुल्लह-धम्माणुभावणा णिच्चं। मणवयणकायसुद्धी एदा *उद्देसदो भणिया।।३।। युग्मम्।
अध्रुव अशरणं भणिताः संसारमेकमन्यमअशुचित्वम्। आस्रवसंवरनामा
નિર્નર જોવાનુપ્રેક્ષા: 1 इति ज्ञात्वा भावयत दुर्लभधर्मानुभावनाः नित्यम्। मनोवचनकायशुद्ध्या एताः उद्देशतः भणिताः।।
અર્થ - હે ભવ્યાત્મ? આટલાં જ અનુપ્રેક્ષાનાં નામ જિનદેવ કહે છે. તેને (સમ્યક્ પ્રકારે) જાણીને મન-વચન-કાય શુદ્ધ કરી આગળ કહીશું તે પ્રમાણે તમે નિરંતર ભાવો (ચિંતવો). તે (નામ)
ક્યાં છે? અધ્રુવ, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત્વ, આસ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભ અને ધર્મ એ બાર છે.
ભાવાર્થ- એ બાર ભાવનાનાં નામ કહ્યાં, તેનું વિશેષ અર્થરૂપ કથન તો આગળ યથાસ્થાને થશે જ વળી એ નામ સાર્થક છે. તેનો અર્થ શો? અધ્રુવ તો અનિત્યને કહીએ છીએ, જેમાં શરણપણું નથી તે અશરણ છે, પરિભ્રમણને સંસાર કહીએ છીએ, જ્યાં બીજાં કોઈ નથી તે એકત્વ છે, જ્યાં સર્વથી જુદાપણું છે તે અન્યત્વ છે, મલિનતાને અશુચિત કહીએ છીએ, કર્મનું આવવું તે આસ્રવ છે, કર્માસ્રવ રોકવો તે સંવર છે, કર્મનું ખરવું તે નિર્જરા છે, જેમાં છ દ્રવ્યોનો સમુદાય છે તે લોક છે, અતિ કઠણતાથી પ્રાપ્ત કરીએ તે દુર્લભ (બોધિદુર્લભ) છે અને સંસારથી જીવનો ઉદ્ધાર કરે તે વસ્તસ્વરૂપાદિક ધર્મ છે; એ પ્રમાણે તેનો અર્થ છે. હવે પ્રથમ અધુવાનુપ્રેક્ષા કહે છે
* પાઠાંતર : સ તો ય ભયા ફુI
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com