________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મંગલાચરણ ] સંભવે છે, કારણ કે-પરમ સ્વાભજનિત આનંદ સહિત કીડા, કર્મને જીતવારૂપ વિજિગીષા, સ્વાભજનિત પ્રકાશરૂપ ધૃતિ, સ્વસ્વરૂપની સ્તુતિ, સ્વસ્વરૂપમાં પરમ પ્રમોદ, લોકાલોકવ્યાપ્તરૂપ ગતિ અને શુદ્ધ સ્વરૂપમાં પ્રવૃત્તિરૂપ કાંતિ ઇત્યાદિ દેવપણાની એકદેશ વા સર્વદશરૂપ સમસ્ત ઉત્કૃષ્ટ કિયા તેમનામાં જ હોય છે તેથી સર્વોત્કૃષ્ટ દેવપણું એમાં જ આવ્યું, એટલે એમને જ મંગલરૂપ નમસ્કાર કરવા યોગ્ય છે.
“મં' એટલે પાપ, તેને “મન' એટલે ગાળે, તથા “મંા” એટલે સુખ તેને “ત' એટલે લાતિ–દદાતિ અર્થાત્ આપે તેને મંગલ' કહીએ છીએ. એવા દેવને નમસ્કાર કરવાથી શુભ પરિણામ થાય છે અને તેનાથી પાપનો નાશ થાય છે–શાંતભાવરૂપ સુખ પ્રાપ્ત થાય છે.
વળી અનુપ્રેક્ષાનો સામાન્ય અર્થ તો વારંવાર ચિંતવન કરવું એ છે; પણ ચિંતવન તો અનેક પ્રકારનાં છે અને તેને કરવાવાળા પણ અનેક છે. તેમનાથી ભિન્ન દર્શાવવા માટે અહીં ભવ્યનનાનંવનનની:' એવું વિશેષણ આપ્યું છે. તેથી જે ભવ્ય જીવોને મોક્ષપ્રાતિ નિકટ આવી હોય તેમને આનંદ ઉપજાવવાવાળી એવી અનુપ્રેક્ષા કહીશ.
બીજાં અહીં “અનુપ્રેક્ષા:' એવું બહુવચનરૂપ પદ છે, ત્યાં અનુપ્રેક્ષા–સામાન્ય ચિંતવન એક પ્રકારરૂપ છે તો પણ (વિશેષપણે તેના) અનેક પ્રકાર છે. ભવ્યજીવોને જે સાંભળતાં જ મોક્ષમાર્ગમાં ઉત્સાહ ઊપજે એવા ચિંતવનના સંક્ષેપતાથી બાર પ્રકાર છે. તેનાં નામ તથા ભાવનાની પ્રેરણા બે ગાથાસૂત્રોમાં કહે છે:
अद्धव असरण भणिया संसारामेगमण्णमसुइत्तं। आसव-संवरणामा णिज्जर-लोयाणुपेहाओ।।२।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com