________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૨]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
પીડા-ચિંતવન આવી જાય છે તથા ઇષ્ટને મેળવવાની વાંચ્છામાં નિદાનબંધ આવી જાય છે. એ બંને ધ્યાન અશુભ છે, પાપબંધ કરનારાં છે; માટે ધર્માત્માપુરુષોએ તે તજવા યોગ્ય છે.
હવે રૌદ્રધ્યાન કહે છે:
हिंसाणंदेण जुदो असचवयणेण परिणदो जो दु । तत्थेव अथिरचित्तो रुद्दं झाणं हवे तस्स ।। ४७५ ।।
हिंसानन्देन युत: असत्यवचनेन परिणतः यः तु । तत्र एव अस्थिरचित्तः रौद्रं ध्यानं भवेत् तस्य ।। ४७५ ।।
અર્થ:- જે પુરુષ હિંસામાં આનંદયુક્ત હોય, અસત્યવચનરૂપ પરિણમતો રહે અને ત્યાં જ વિક્ષિતચિત્ત રહે તેને રૌદ્રધ્યાન હોય છે.
ભાવાર્થ:- જીવઘાત કરવો તે હિંસા છે. એ કરીને જે અતિ હર્ષ માને, શિકારાદિમાં અતિ આનંદથી પ્રવર્તે, ૫૨ને વિઘ્ન થતાં અતિ સંતુષ્ટ થાય, જૂઠવચન બોલી તેમાં પોતાનું પ્રવીણપણું માને તથા પરદોષ નિરંતર દેખ્યા કરે-હ્યા કરે અને તેમાં આનંદ માને તે બધું રૌદ્રધ્યાન છે. એ પ્રમાણે આ બે ભેદ રૌદ્રધ્યાનના કહ્યા.
હવે (રૌદ્રધ્યાનના ) બીજા બે ભેદ કહે છે:
परविसयहरणसीलो सगीयविसए सुरक्खणे दक्खो । तग्गयचिंताविट्ठो णिरंतरं तं पि रुदं पि ।। ४७६ ।।
परविषयहरणशीलः स्वकीयविषये सुरक्षणे दक्षः । तद्गतचिन्ताविष्टः निरन्तरं तदपि रौद्रं अपि ।। ४७६ ।।
અર્થ:- જે પુરુષ ૫૨ની વિષયસામગ્રી હરવાના સ્વભાવવાળો હોય, પોતાની વિષયસામગ્રીની રક્ષા કરવામાં પ્રવીણ હોય તથા એ બંને કાર્યોમાં નિરંતર ચિત્ત તલ્લીન રાખ્યા કરે તે પુરુષને એ પણ રૌદ્રધ્યાન જ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com