________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વાદશતપ]
[૨૯૩ ભાવાર્થ- પરસંપદા ચોરવામાં પ્રવીણ હોય, ચોરી કરીને હર્ષ માને, પોતાની વિષયસામગ્રી રાખવાનો અતિ પ્રયત્ન કરે, તેની રક્ષા કરીને ખુશી થાય એ પ્રમાણે આ (ચૌર્યાનંદ તથા વિષયસંરક્ષણાનંદ) બે ભેદ પણ રૌદ્રધ્યાનના છે. આ ચારે ભેદરૂપ રૌદ્રધ્યાન અતિ તીવ્રકષાયના યોગથી થાય છે-મહા પાપરૂપ છે તથા મહા પાપબંધના કારણરૂપ છે. ધર્માત્માપુરુષ એવા ધ્યાનને દૂરથી જ છોડે છે. જેટલાં કોઈ જગતને ઉપદ્રવનાં કારણો છે તેટલાં રૌદ્રધ્યાનયુક્ત પુરુષથી બને છે. જે પાપ કરી ઊલટો હર્ષ માને-સુખ માને તેને ધર્મોપદેશ પણ લાગતો નથી, તે તો અચેત જેવો અતિ પ્રમાદી બની પાપમાં જ મસ્ત રહે છે.
હવે ધર્મધ્યાન કહે છે:बिण्णि वि असुहे झाणे पावणिहाणे य दुक्खसंताणे। णच्चा दूरे वजह धम्मे पुण आयरं कुणह।। ४७७।। द्वे अपि अशुभे ध्याने पापनिधाने च दुःखसन्ताने। ज्ञात्वा दूरे वर्जत धर्मे पुनः आदरं कुरुत।।४७७।।
અર્થ - હે ભવ્યપ્રાણી ! આ બંને આર્ત-રૌદ્રધ્યાન અશુભ છે. એનો, પાપનાં નિધાનરૂપ અને દુઃખનાં સંતાનરૂપ જાણી, દૂરથી જ ત્યાગ કરો અને ધર્મધ્યાનમાં આદર કરો !
ભાવાર્થ- આર્ત-રૌદ્ર બંને ધ્યાન અશુભ છે, પાપથી ભરેલાં છે અને એમાં દુઃખની જ પરંપરા ચાલ્યા કરે છે, માટે એનો ત્યાગ કરી ધર્મધ્યાન કરવાનો શ્રીગુરુનો ઉપદેશ છે.
હવે ધર્મનું સ્વરૂપ કહે છેઃधम्मो वत्थुसहावो खमादिभावो य दसविहो धम्मो। रयणत्तयं च धम्मो जीवाणं रक्खणं धम्मो।। ४७८।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com