________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વાદશત૫]
[ ૨૯૧ હવે આર્તધ્યાન કહે છે:दुक्खयरविसयजोए केम इमं चयदि इदि विचिंतंतो। चेट्ठदि जो विक्खित्तो अट्टज्झाणं हवे तस्स।। ४७३।। मणहरविसयविओगे कहं तं पावेमि इदि वियप्पो जो। संतावेण पयट्टो सो च्चिय अर्से हवे झाणं ।। ४७४।। दु:खकरविषययोगे कथं इमं त्यजति इति विचिन्तयन्। चेष्टते यः विक्षिप्तः आर्तध्यानं भवेत् तस्य।। ४७३।। मनोहरविषयवियोगे कथं तत् प्राप्नोमि इति विकल्पः यः। सन्तापेन प्रवृत्त: तत् एव आर्तं भवेत् ध्यानम्।। ४७४
અર્થ- દુઃખકારી વિષયનો સંયોગ થતાં જે પુરુષ આવું ચિંતવન કરે કે “આ મારાથી કેવી રીતે દૂર થાય ?' વળી તેના સંયોગથી વિક્ષિચિત્તવાળો થયો થકી ચેષ્ટા કરે તથા રુદનાદિક કરે તેને આર્તધ્યાન હોય છે. વળી જે મનોહર-વહાલી વિષય-સામગ્રીનો વિયોગ થતાં આ પ્રમાણે ચિંતવન કરે કે તેને હવે હું શી રીતે પામું?' એમ તેના વિયોગથી સંતાપરૂપ-દુઃખરૂપ પ્રવર્તે તે પણ આર્તધ્યાન છે.
ભાવાર્થ- સામાન્યપણે દુઃખ-કલેશરૂપ પરિણામ છે તે આર્તધ્યાન છે. તે દુઃખમાં એવો લીન રહે કે બીજી કોઈ ચેતનતા (જાગૃતિ) જ રહે નહિ. એ આર્તધ્યાન બે પ્રકારથી કહ્યું છે. પ્રથમ તો દુ:ખકારી સામગ્રીનો સંયોગ થતાં તેને દૂર કરવાનું ધ્યાન રહે, તથા બીજું ઈષ્ટ-સુખકારી સામગ્રીનો વિયોગ થતાં તેને ફરીથી મેળવવાનું ચિંતવન-ધ્યાન રહે તે આર્તધ્યાન છે. અન્ય ગ્રંથોમાં તેના ચાર ભેદ કહ્યા છે-ઈષ્ટવિયોગનું ચિંતવન, અનિસંયોગનું ચિંતવન, પીડાનું ચિંતવન તથા નિદાનબંધચિંતવન. અહીં બે કહ્યા તેમાં આ ચારે ગર્ભિત થઈ જાય છે. અનિષ્ટસંયોગ દૂર કરવામાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com