________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૦]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા असुहं अट्ट-रउदं धम्मं सुक्कं च सुहयरं होदि। अर्से तिव्वकसायं तिव्वतमकसायदो रुदं ।। ४७१।।
अशुभं आर्त-रौद्रं धर्म्य शुक्लं च शुभकरं भवति। आर्त तीव्रकषायं तीव्रतमकषायत: रौद्रम्।। ४७१।।
અર્થ - આર્ત અને રૌદ્ર એ બંને તો અશુભધ્યાન છે તથા ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ બંને શુભ તથા શુભતર છે. તેમાં પ્રથમનું આર્તધ્યાન તો તીવ્રકષાયથી થાય છે તથા રૌદ્રધ્યાન અતિ તીવ્રકષાયથી થાય છે. मंदकसायं धम्मं मंदतमकसायदो हवे सुक्कं । अकसाए वि सुयड्ढे केवलणाणे वि तं होदि।। ४७२।। मन्दकषायं धर्म्यं मन्दतमकषायत: भवेत् शुक्लम्। अकषाये अपि श्रुताढ्ये केवलज्ञाने अपि तत् भवति।।४७२।।
અર્થ- ધર્મધ્યાન મંદકષાયથી થાય છે, અને શુક્લધ્યાન મહામુનિ શ્રેણી ચઢે ત્યારે તેમને અતિશય ગંદકપાયથી થાય છે, તથા કષાયનો અભાવ થતાં શ્રુતજ્ઞાની- ઉપશાંતકષાયી, ક્ષીણકષાયીને તથા કેવળજ્ઞાની-સુયોગકેવળી, અયોગકેવળીને પણ શુક્લધ્યાન હોય છે.
ભાવાર્થ - પંચપરમેષ્ઠી, દશલક્ષણસ્વરૂપધર્મ તથા આત્મસ્વરૂપમાં વ્યક્ત ( પ્રગટ) રાગ સહિત ઉપયોગ એકાગ્ર થાય છે ત્યારે તે મંદકષાય સહિત છે એમ કહ્યું છે અને એ જ ધર્મધ્યાન છે. તથા શુકલધ્યાન છે ત્યાં ઉપયોગમાં વ્યક્ત રાગ તો નથી અર્થાત્ પોતાના અનુભવમાં પણ ન આવે એવા સૂક્ષ્મ રાગ સહિત (મુનિ ) શ્રેણી ચઢે છે ત્યાં આત્મપરિણામ ઉજ્જવળ હોય છે તેથી પવિત્ર ગુણના યોગથી તેને શુક્લ કહ્યું છે. મંદતમ કષાયથી અર્થાત અતિશય મંદ કષાયથી તે હોય છે તથા કષાયનો અભાવ થતાં પણ કહ્યું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com