SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૮] ( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ससरूवचिंतणरओ दुज्जणसुयणाण जो हु मज्झत्थो। देहे वि णिम्ममत्तो काओसग्गो तवो तस्स।।४६८।। जल्लमललिप्तगात्रः दुःसहव्याधिषु निःप्रतीकारः। मुखधोवनादिविरत: भोजनशय्यादिनिरपेक्षः।। ४६७।। स्वस्वरूपचिन्तनरतः दुर्जनसज्जनानां यः स्फुटं मध्यस्थः। देहे अपि निर्ममत्व: कायोत्सर्ग तपः तस्य।। ४६८।। અર્થ:- જે મુનિ જલ્લ અર્થાત્ પરસેવ તથા મળથી લિસ શરીરયુક્ત હોય, સહન ન થઈ શકે એવો તીવ્ર રોગ થવા છતાં પણ તેનો પ્રતિકાર-ઇલાજ કરે નહિ, મુખ ધોવું આદિ શરીરનો સંસ્કાર ન કરે, ભોજન-શૈય્યાદિની વાંચ્છા ન કરે, પોતાના સ્વરૂપ-ચિંતવનમાં રત-લીન હોય, દુર્જન-સર્જનમાં મધ્યસ્થ હોય, શત્રુ-મિત્ર બંનેને બરાબર જાણે, ઘણું શું કહીએ, દેહમાં પણ મમત્વ રહિત હોય, તેમને કાયોત્સર્ગ નામનું તપ હોય છે. મુનિ કાયોત્સર્ગ કરે ત્યારે સર્વ બાહ્યાભ્યતરપરિગ્રહનો ત્યાગ કરી, સર્વ બાહ્ય આહારવિહારાદિ ક્રિયાથી પણ રહિત થઈ, કાયાથી મમત્વ છોડી, માત્ર પોતાના જ્ઞાનસ્વરૂપ આત્મામાં રાગદ્વેષરહિત શુદ્ધોપયોગરૂપ થઈ તલ્લીન થાય છે; તે વેળા ભલે અનેક ઉપસર્ગ આવે, રોગ આવે તથા કોઈ શરીરને કાપી જાય, છતાં તેઓ સ્વરૂપથી ચલિત થતા નથી તથા કોઈથી રાગદ્વેષ ઉપજાવતા નથી; તેમને કાયોત્સર્ગતપ હોય છે. जो देहपालणपरो उवयरणादीविसेससंसत्तो। बाहिरववहाररओ काओसग्गो कुदो तस्स।। ४६९ ।। य: देहपालनपर: उपकरणादिविशेषसंसक्तः। बाह्यव्यवहाररत: कायोत्सर्ग: कुत: तस्य।। ४६९।। અર્થ:- જે મુનિ દેહપાલનમાં તત્પર હોય, ઉપકરણાદિમાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy