________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
દ્વાદશતપ ]
[ ૨૮૭
૫૨માર્થે ભિન્ન-જ્ઞાયકસ્વરૂપ જાણે છે તેણે સર્વ શાસ્ત્રો જાણ્યાં.
ભાવાર્થ:- જે મુનિ શાસ્ત્રાભ્યાસ અલ્પ પણ કરે છે પરંતુ જો પોતાના આત્માનું સ્વરૂપ આ અશુચિમય શરીરથી ભિન્ન, શાયક (દેખવા-જાણવાવાળું) શુદ્ધોપયોગરૂપ છે એમ જાણે છે તો તે બધાંય શાસ્ત્રો જાણે છે, પરંતુ જેણે પોતાનું સ્વરૂપ તો જાણ્યું નહિ અને ઘણાં શાસ્ત્રો ભણ્યો તો તેથી શું સાધ્ય થયું?
जो गवि जाणदि अप्पं णाणसरूवं सरीरदो भिण्णं । सो वि जाणदि सत्थं आगमपाढं कुणंतो वि ।। ४६६ ।।
यः न अपि जानाति आत्मानं ज्ञानस्वरूपं शरीरतः भिन्नम् । सः न अपि जानाति शास्त्रं आगमपाठं कुर्वन् अपि ।। ४६६।।
અર્થ:- જે મુનિ પોતાના આત્માને જ્ઞાનસ્વરૂપ અને શરીરથી ભિન્ન જાણતો નથી તે આગમનો પાઠ કરે છે તોપણ શાસ્ત્રને જાણતો નથી
ભાવાર્થ:- જે મુનિ શ૨ી૨થી ભિન્ન એવા જ્ઞાનસ્વરૂપ આત્માને જાણતો નથી તે ઘણો શાસ્ત્રાભ્યાસ કરે છે તોપણ અભ્યાસ વિનાનો જ છે. શાસ્ત્રાભ્યાસનો સાર તો આ છે કે પોતાનું સ્વરૂપ જાણી રાગદ્વેષરહિત થવું. હવે જો શાસ્ત્ર ભણીને પણ જો એમ ન થયું તો તે શું ભણ્યો ? પોતાનું સ્વરૂપ જાણી તેમાં સ્થિર થવું તે નિશ્ચય સ્વાધ્યાયતપ છે. વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય અને ધર્મોપદેશ એ પ્રમાણે પાંચ પ્રકારનો વ્યવહાર સ્વાધ્યાય છે અને તે વ્યવહાર પણ નિશ્ચયના માટે હોય તો તે વ્યવહાર સાચો છે; બાકી તો નિશ્ચય વિનાનો વ્યવહા૨ થોથું છે.
હવે વ્યુત્સર્ગતપ કહે છે :जल्लमललित्तगत्तो दुस्सहवाहीसु णिप्पडियारो । मुहधोवणादिविरओ भोयणसेज्जादिणिरवेक्खो ।। ४६७ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com