________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૦]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા કરતાં પોતાની મેળે પ્રાયશ્ચિત લઈ લે પરંતુ દોષ પ્રગટ કરવાનો અભિપ્રાય ન હોય, તે તત્સવીદોષ છે.
આવા દશ દોષ રહિત સરળચિત્ત બની બાળકની માફક આલોચના કરે. जं किं पि तेण दिण्णं तं सव्वं सो करेदि सद्धाए। णो पुणु हियए संकदि किं थोवं किं पि वहुयं वा।। ४५३ ।। यत् किमपि तेन दत्तं तत् सर्वं स: करोति श्रद्धया। नो पुनः हृदये शंकते किं स्तोकं किमपि बहुकं वा।।४५३।।
અર્થ- દોષની આલોચના કર્યા પછી આચાર્ય જે કાંઈ પ્રાયશ્ચિત આપ્યું હોય તે બધુંય શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરે પણ હૃદયમાં એવી શંકા-સંદેહ ન રાખે કે આ આપેલું પ્રાયશ્ચિત્ત થોડું છે કે ઘણું છે?
ભાવાર્થ:- તત્ત્વાર્થસૂત્રમાં પ્રાયશ્ચિત્તના નવ ભેદ કહ્યા છેઆલોચના, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર અને ઉપસ્થાપના. ત્યાં દોષને યથાવત કહેવો તે આલોચના છે, દોષને મિથ્યા કરાવવો તે પ્રતિક્રમણ છે, આલોચન-પ્રતિક્રમણ બને કરાવવાં તે તદુભય છે, ભવિષ્યનો ત્યાગ કરાવવો તે વિવેક છે, કાયોત્સર્ગ કરાવવો તે વ્યુત્સર્ગ છે, અનશનાદિ તપ કરાવવો તે તપ છે, દીક્ષા છેદન કરવી અર્થાત ઘણા દિવસના દીક્ષિતને થોડા દિવસનો કરવો તે છેદ છે, સંઘ બહાર કરવો તે પરિહાર છે, તથા ફરીથી નવેસરથી દીક્ષા આપવી તે ઉપસ્થાપના છે. એ પ્રમાણે પ્રાયશ્ચિત નવ પ્રકારથી છે તથા તેમના પણ અનેક ભેદ છે. ત્યાં દેશ, કાળ, અવસ્થા, સામર્થ્ય અને દોષનું વિધાન જોઈ આચાર્ય યથાવિધિ પ્રાયશ્ચિત આપે છે તેને શ્રદ્ધાપૂર્વક અંગીકાર કરે પણ તેમાં સંશય ન કરે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com