________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વાદશતપ ]
[ ૨૭૯
એમ વિચારી અલોચના કરે તે આપિતદોષ છે.
૨. વચન દ્વારા જ આચાર્યનાં વખાણ આદિ કરી આલોચના કરે તે એવા અભિપ્રાયથી કે ‘ આચાર્ય મારા પ્રત્યે પ્રસન્ન રહે તો પ્રાયશ્ચિત થોડું આપશે '; તે અનુમાનિતદોષ છે. તે
૩. પ્રત્યક્ષ દેખાતા દ્વેષ હોય તે કહે પણ અણદેખાતા ન કહે તે દષ્ટદોષ છે.
૪. સ્થૂલ-મોટા દોષ તો કહે પણ સૂક્ષ્મ ન કહે તે બાદર દોષ
છે.
૫. ‘સૂક્ષ્મ જેણે કહી દીધા તે બાદર દોષ શા માટે છુપાવે' એવા માયાચારથી જે સૂક્ષ્મદોષ જ કહે પણ બાદર ન કહે તે સૂક્ષ્મ દોષ છે.
૬. છુપાવીને કહે, તે એમ કે કોઈ બીજાએ પોતાનો દોષ કહી દીધો હોય ત્યારે જ કહે કે ‘એવો જ દોષ મને લાગ્યો છે' પણ દોષનું નામ પ્રગટ ન કરે તે પ્રચ્છન્નદોષ છે.
૭. ‘૨ખે કોઈ સાંભળી ન જાય!' એવા અભિપ્રાયથી ઘણા શબ્દોના કોલાહલમાં પોતાના દોષ કહે તે શબ્દાકુલિતદોષ છે.
૮. પોતાના ગુરુ પાસે આલોચના કરી ફરી પાછો અન્ય ગુરુ પાસે પણ આલોચના કરે તે આવા અભિપ્રાયથી કે ‘આનુ પ્રાયશ્ચિત અન્ય ગુરુ શું બતાવે છે?' એ બહુજનદોષ છે.
૯. ‘આ દોષ છુપાવ્યો છુપાવાનો નથી માટે કહેવો જ જોઈએ ’ એમ વિચારી પ્રગટ-વ્યક્ત દોષ હોય તે કહે, તે અવ્યક્ત દોષ છે.
૧૦. પોતાને લાગેલા દોષની ગુરુ પાસે આલોચના કરી, કોઈ અન્ય મુનિએ પ્રાયશ્ચિત લીધું હોય તેને જોઈ તે પ્રમાણે પોતાને પણ દોષ લાગ્યા હોય તેની આલોચના ગુરુ પાસે નહિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com