________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૭૭
હવે છ પ્રકારનાં અંતરંગ તપોનું વ્યાખ્યાન કરે છે. ત્યાં પ્રથમ પ્રાયશ્ચિત નામનું તપ કહે છે.
दोसं ण करेदि सयं अण्णं पि ण कारएदि जो तिविहं । कुव्वाणं पण इच्छदि तस्स विसोही परा होदि ।। ४५१ । ।
दोषं न करोति स्वयं अन्यं अपि न कारयति यः त्रिविधम् । कुर्वाणं अपि न इच्छति तस्य विशुद्धिः परा भवति ।। ४५१ । ।
અર્થ:- જે મુનિ મન-વચન-કાયાથી પોતે દોષ કરે નહિ, બીજા પાસે દોષ કરાવે નહિ તથા કોઈ દોષ કરતો હોય તેને ઇષ્ટ-ભલો
જાણે નહિ તેને ઉત્કૃષ્ટ વિશુદ્ધતા હોય છે.
'
ભાવાર્થ:- અહીં ‘વિશુદ્ધિ' નામ પ્રાયશ્ચિત્તનું છે. ‘પ્રાયઃ ’ શબ્દથી તો પ્રકૃષ્ટ ચારિત્રનું ગ્રહણ છે અર્થાત્ એવું ચારિત્ર જેને હોય તેને ‘પ્રાયઃ ' કહે છે. અથવા સાધુલોકનું ચિત્ત જે કાર્યમાં હોય તેને પ્રાયશ્ચિત કહે છે, અથવા આત્માની વિશુદ્ધતા કરે તે પ્રાયશ્ચિત છે. વળી (પ્રાયશ્ચિત શબ્દનો) બીજો અર્થ આવો પણ છે કે-‘પ્રાયઃ ' નામ અપરાધનું છે, તેને ‘ચિત્ત’ એટલે તેની શુદ્ધિ કરવી તેને પણ પ્રાયશ્ચિત કહીએ છીએ. મતલબ કે પૂર્વે કરેલા અપરાધથી જે વડે શુદ્ધતા થાય તે પ્રાયશ્ચિત છે. એ પ્રમાણે જે મુનિ મન-વચન-કાય અને કૃત-કારિત-અનુમોદનાથી દોષ ન લગાવે તેને ઉત્કૃષ્ટ વિશુદ્ધતા હોય છે અને એ જ પ્રાયશ્ચિત નામનું તપ છે.
૧
૧
યતિના આચારમાં દશ પ્રકારનું પ્રાયશ્ચિત કહ્યું છે યથા :
आलोयणपडिकमणं उभय विवेगो तहा विउस्सग्गो । तवछेदो मूलं पि य परिहारो चेव सद्दहणं ।।
મૂલાચાર-પંચાચારાધિકાર ગા૦ ૧૬૫
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com