SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates દ્વાદશતપ ] [ ૨૭૫ पूयादिसु णिरवेक्खो संसारसरीरभोगणिव्विण्णो । अब्भंतरतवकुसलो उवसमसीलो महासंतो ।। ४४८ ।। जो णिवसेदि मसाणे वणगहणे णिज्जणे महाभीमे । अण्णत्थ वि एयंते तस्स वि एदं तवं होदि । । ४४९ । पूजादिषु निरपेक्ष: संसारशरीरभोगनिर्विण्णः 1 उपशमशील: મહાશાન્ત:।।૪૪૮।। आभ्यन्तरतपःकुशल: यः निवसति स्मशाने वनगहने निर्जने महाभीमे । अन्यत्र अपि एकान्ते तस्य अपि एतत् तपः भवति ।। ४४९ ।। અર્થ:- જે મહામુનિ પૂજા આદિમાં તો નિરપેક્ષ છે અર્થાત્ પોતાનાં પૂજા– માહાત્મ્ય આદિને ઇચ્છતા નથી, સંસા૨-દેહ-ભોગથી વિરક્ત છે, સ્વાધ્યાય ધ્યાનાદિ અંતરંગતપમાં પ્રવીણ છે અર્થાત્ ધ્યાન-અધ્યયનનો નિરંતર અભ્યાસ રાખે છે, ઉપશમશીલ અર્થાત્ મંદકષાયરૂપ શાંતપરિણામ જ છે સ્વભાવ જેનો તથા જે મહાપરાક્રમી અને ક્ષમાદિ પરિણામ યુક્ત છે એવા મહામુનિ મસાણભૂમિમાં, ગહનવનમાં, જ્યાં લોકની આવ-જાવ ન હોય એવા નિર્જનસ્થાનમાં, મહા ભયાનક ગહન વનમાં તથા અન્ય પણ એવા એકાન્તસ્થાનમાં રહે છે તેને નિશ્ચયથી આ વિવિક્તશૈયાસનતપ હોય છે. ભાવાર્થ:- મહામુનિ વિવિક્તશૈય્યાસનતપ કરે છે. ત્યાં એવા એકાન્તસ્થાનમાં તેઓ સૂર્વ-બેસે છે કે જ્યાં ચિત્તમાં ક્ષોભ કરવાવાળા કોઈ પણ પદાર્થો ન હોય, એવાં સૂનાં ઘર, ગિરિગુફા, વૃક્ષનાં કોતર, ગૃહસ્થોએ પોતે બનાવેલા ઉદ્યાન વસ્તિકાદિક, દેવમંદિર તથા મસાણભૂમિ ઇત્યાદિ એકાન્તસ્થાન હોય ત્યાં ધ્યાન-અધ્યયન કરે છે, કારણ કે તેઓ દેહથી તો નિર્મમત્વ છે, વિષયોથી વિરક્ત છે અને પોતાના આત્મસ્વરૂપમાં અનુરક્ત છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy