________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વાદશતપનું વર્ણન
હવે ધર્માનુપ્રેક્ષાની ચૂલિકા કહેતા થકા આચાર્યદેવ બાર પ્રકારનાં તપવિધાનનું નિરૂપણ કરે છેઃ
बारसभेओ भणिओ णिज्जरहेऊ तवो समासेण । तस्स पयारा एदे भणिज्जमाणा
मुणेयव्वा ।। ४३८ ।।
द्वादशभेदं भणितं निर्जराहेतुः तपः समासेन । तस्य प्रकारा: एते भण्यमानाः જ્ઞાતવ્યા:।।૪૮।।
અર્થ:- જિનાગમમાં બાર પ્રકારનું તપ સંક્ષેપમાં કહ્યું છે. કેવું છે તપ ? કર્મનિર્જરાનું કારણ છે. તેના પ્રકાર હવે કહીશું તે
જાણવા.
ભાવાર્થ:- નિર્જરાનું કારણ તપ છે અને તેના બાર પ્રકાર અનશન, અવૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્ત-શૈયાસન અને કાયકલેશ એ છ પ્રકારનાં બાહ્યતપ છે તથા પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એ છ પ્રકારનાં અંતરંગતપ છે. તેનું જ વ્યાખ્યાન હવે કરીએ છીએ. તેમાં પહેલાં અનશન નામના તપને ચાર ગાથામાં કહે છેઃ
છે.
उवसमणो अक्खाणं उववासो वण्णिदो मुणिंदेहि । तम्हा भुंजंता वि य जिदिंदिया होंति उववासा।। ४३९।। उपशमनम् अक्षाणां उपवास: વર્જિત: મુનીન્દ્ર तस्मात् भुञ्जमानाः अपि च जितेन्द्रियाः भवन्ति उपवासाः ।। ४३९ ।।
અર્થ:- ઇન્દ્રિયોના ઉપશમનને અર્થાત્ તેમને વિષયોમાં ન જવા દેવી તથા મનને પોતાના આત્મસ્વરૂપમાં જોડવું તેને મુનીન્દ્રોએ ઉપવાસ કહ્યો છે. એટલા માટે જિતેન્દ્રિય પુરુષને, આહાર કરતો છતાં પણ, ઉપવાસ સહિત જ કહ્યો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com