________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૮]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા પણ ઊલટો માત્ર અતિશય અનિષ્ટને પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ- પાપના ઉદયથી ભલું કરતાં પણ બૂરું થાય છે એ જગપ્રસિદ્ધ છે.
इय पच्चक्खं पिच्छिय धम्माहम्माण विविहमाहप्पं। धम्मं आयरह सया पावं दूरेण परिहरह।। ४३७।। इति प्रत्यक्षं दृष्ट्वा धर्माधर्मयो: विविधमाहात्म्यम्। धर्मं आचरत सदा पापं दूरेण परिहरत।।४३७।।
અર્થ - હે પ્રાણી ! આ પ્રમાણે ધર્મ તથા અધર્મનું અનેક પ્રકારનું માહાભ્ય પ્રત્યક્ષ જોઈને તમે ધર્મનું આચરણ કરો તથા પાપને દૂરથી જ છોડો !
ભાવાર્થ- દશ પ્રકારથી ધર્મનું સ્વરૂપ કહી આચાર્યદવે અધર્મનું ફળ પણ બતાવ્યું અને હવે અહીં આ ઉપદેશ આપ્યો કે હું પ્રાણી ! ધર્મ-અધર્મનું પ્રત્યક્ષ ફળ લોકમાં જોઈને તમે ધર્મનું આચરો તથા પાપને છોડો ! આચાર્ય મહાન નિષ્કારણ ઉપકારી છે, પોતાને કાંઈ જોઈતું નથી, માત્ર નિસ્પૃહ થયા થકા જીવોના કલ્યાણ અર્થે જ વારંવાર કહી પ્રાણીઓને જગાડે છે; એવા શ્રીગુરુ વંદન-પૂજન યોગ્ય છે. એ પ્રમાણે યતિધર્મનું વ્યાખ્યાન કર્યું.
(દોહરો) મુનિ-શ્રાવકના ભેદથી; ધર્મ બે પરમાર, તેને સુણી ચિંતવો સતત, ગ્રહી પામો ભવપાર.
ઇતિ ધર્માનુપ્રેક્ષા સમાપ્ત.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com