SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ધર્માનુપ્રેક્ષા] [ ર૬૭ અર્થ - ધર્મના પ્રભાવથી જીવનાં જૂઠ વચન પણ સત્ય વચન થઈ જાય છે, ઉધમ રહિતને પણ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તથા અન્યાયકાર્ય પણ સુખ કરવાવાળા થાય છે. ભાવાર્થ- અહીં આ અર્થ સમજવો કે જો પૂર્વે ધર્મ સેવ્યો હોય તો તેના પ્રભાવથી અહીં જૂઠ બોલે તે પણ સાચ બની જાય છે, ઉદ્યમ વિના પણ સંપત્તિ મળી જાય છે, અન્યાયરૂપ વર્તે તોપણ તે સુખી રહે છે, અથવા કોઈ જૂઠ વચનનો તુક્કો લગાવે તોપણ અંતમાં તે સાચો થઈ જાય છે તથા “અન્યાય કર્યો' એમ લોક કહે છે તો ત્યાં ન્યાયવાળાની સહાય જ થાય છે એમ પણ સમજવું. હવે ધર્મ રહિત જીવની નિંદા કહે છે:देवो वि धम्मचत्तो मिच्छत्तवसेण तरुवरो होदि। चक्की वि धम्मरहिओ णिवडइ णरए ण संदेहो।। ४३५।। देवः अपि धर्मत्यक्त: मिथ्यात्ववशेन तरुवर: भवति। चक्री अपि धर्मरहित: निपतति नरके न सन्देहः।। ४३५ ।। અર્થ- ધર્મ રહિત જીવ છે તે મિથ્યાત્વવશ દેવ પણ વનસ્પતિકાય એકેન્દ્રિય બની જાય છે તથા ધર્મરહિત ચક્રવર્તી પણ નરકમાં પડે છે, તેમાં કોઈ સંદેહ નથી. धम्मविहीणो जीवो कुणइ असकं पि साहसं जइ वि। तो ण वि पावदि इ8 सुव्नु अणितुं परं लहदि।। ४३६ ।। धर्मविहीनः जीवः करोति अशक्यं अपि साहसं यद्यपि। तत् न अपि प्राप्नोति इष्टं सुष्टु अनिष्ठं परं लभते।। ४३६ ।। અર્થ:- ધર્મરહિત જીવ જોકે મોટું, બીજાથી ન થઈ શકે તેવું, સાહસિક પરાક્રમ કરે તો પણ તેને ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતી નથી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy