________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[ ર૬૧ હવે પ્રભાવનાગુણ કહે છે:जो दसभेयं धम्मं भव्वजणाणं पयासदे विमलं। अप्पाणं पि पयासदि णाणेण पहावणा तस्स।। ४२२।। यः दशभेदं धर्मं भव्यजनानां प्रकाशयति विमलम्। आत्मानं अपि प्रकाशयति ज्ञानेन प्रभावना तस्य।। ४२२।।
અર્થ- જે સમ્યગ્દષ્ટિ, ભવ્યજીવોની પાસે પોતાના જ્ઞાન દ્વારા દશભેદરૂપ ધર્મને પ્રગટ કરે, તથા પોતાના આત્માને પણ દશ પ્રકારરૂપ ધર્મથી પ્રકાશિત કરે તેને પ્રભાવનાગુણ હોય છે.
ભાવાર્થ- ધર્મને વિખ્યાત કરવો તે પ્રભાવનાગુણ છે, ત્યાં ઉપદેશાદિકથી તો પરમાં ધર્મને પ્રગટ કરે તથા પોતાના આત્માને પણ દશવિધધર્મમાં અંગિકારથી કર્મકલંકરહિત પ્રકાશિત કરે તેને પ્રભાવનાગુણ હોય છે. जिणसासणमाहप्पं बहुविहजुत्तीहिं जो पयासेदि। तह तिव्वेण तवेण य पहावणा णिम्मला तस्स।। ४२३ ।। जिनशासनमाहात्म्यं बहुविधयुक्तिभिः यः प्रकाशयति। तथा तीव्रण तपसा च प्रभावना निर्मला तस्य।। ४२३।।
અર્થ:- જે સમ્યગ્દષ્ટિપુરુષ, પોતાના જ્ઞાનબળથી અનેક પ્રકારની યુક્તિપૂર્વક વાદિજનોનું નિરાકરણ કરી તથા ન્યાય, વ્યાકરણ, છંદ, અલંકાર અને સાહિત્યવિધાથી વક્તાપણા વા શાસ્ત્રરચના-દ્વારા અનેક પ્રકારની યુક્તિથી વાદિજનોનું નિરાકરણ કરી વા અતિશય-ચમત્કાર-પૂજાપ્રતિષ્ઠા વડે વા મહાન દુર્ધર તપશ્ચરણથી જિનશાસનનું માહાભ્ય પ્રગટ કરે તેને પ્રભાવના ગુણ નિર્મળ થાય છે.
ભાવાર્થ:- આ પ્રભાવનાગુણ મહાન ગુણ છે. તેનાથી અનેક જીવોને ધર્મની અભિરુચિ-શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. સમ્યગ્દષ્ટિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com