________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૮] .
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા दशविधधर्मयुतानां स्वभावदुर्गन्धाशुचिदेहेषु। यत् निन्दनं न क्रियते निर्विचिकित्सागुणः सः स्फुटम्।। ४१७ ।।
અર્થ - પ્રથમ તો દેહનો સ્વભાવ જ દુર્ગધ-અશુચિમય છે અને બહારમાં સ્નાનાદિ સંસ્કારના અભાવથી વધારે અશુચિ-દુર્ગધરૂપ દેખાય છે એવા, દશ પ્રકારના યતિધર્મ સંયુક્ત, મુનિરાજના દેહને દેખીને તેમની અવજ્ઞા ન કરવી તે નિર્વિચિકિત્સાનુણ છે.
ભાવાર્થ- સમ્યગ્દષ્ટિપુરુષની દષ્ટિ મુખ્યપણે સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂપ ગુણો ઉપર પડે છે, દેહુ તો સ્વભાવથી જ અશુચિદુર્ગધરૂપ છે, તેથી મુનિરાજના દેહુ તરફ શું દેખે? તેમના રત્નત્રય (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર) તરફ દેખે તો ગ્લાનિ શી રીતે આવે? એ ગ્લાનિ ન ઉપજાવવી તે જ નિર્વિચિકિત્સાગુણ છે. પણ જેને સમ્યકત્વગુણ પ્રધાન નથી તેની દૃષ્ટિ પહેલી દેહ ઉપર પડતાં જ તેને ગ્લાનિ ઊપજે છે, અને ત્યારે આ ગુણ તેને નથી (એમ સમજવું ).
હવે અમૂઢદષ્ટિગુણ કહે છે:भयलज्जालाहादो हिंसारंभो ण मण्णदे धम्मो। जो जिणवयणे लीणो अमूढदिट्ठी हवे सो हु।।४१८ ।। भयलज्जालाभात् हिंसारम्भः न मन्यते धर्मः। यः जिनवचने लीनः अमूढदृष्टि: भवेत् सः स्फुटम्।। ४१८ ।।
અર્થ- જે ભયથી, લજ્જાથી તથા લાભથી પણ હિંસાના આરંભને ધર્મ ન માને તે પુરુષ અમૂઢદષ્ટિગુણ સંયુક્ત છે. કેવો છે તે? જિનવચનમાં લીન છે, ભગવાને “અહિંસાને જ ધર્મ કહ્યો છે?' એવી દઢ શ્રદ્ધાયુક્ત છે.
ભાવાર્થ- અન્યમતીઓ યજ્ઞાદિક હિંસામાં ધર્મ સ્થાપે છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com