________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૬]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
તેઓની કરુણા અવશ્ય થાય.
વળી પોતાનું શુદ્ધસ્વરૂપ જાણે ત્યારે કષાયોને અપરાધરૂપદુઃખરૂપ જાણે અને તેમનાથી પોતાનો ઘાત જાણે ત્યારે કષાયભાવના અભાવને પોતાની દયા માને; એ પ્રમાણે અહિંસાને ધર્મ જાણે તથા હિંસાને અધર્મ માને અને એવું શ્રદ્ધાન, તે જ સમ્યક્ત્વ છે. તેનાં નિઃશંક્તિાદિ આઠ અંગ છે, તેને જીવદયા ઉપર જ લગાવીને અહીં કહે છે. ત્યાં
પ્રથમ નિઃશંક્તિ અંગ કહે છેઃ
किं जीवदया धम्मो जण्णे हिंसा वि होदि किं धम्मो । इचेवमादिसंका तदकरणं जाण णिस्संका।। ४१४ ।। किं जीवदया धर्मः यज्ञे हिंसा अपि भवति किं धर्मः । इत्येवमादिशंका तदकरणं ज्ञानीहि निःशंका।।४१४।।
અર્થ:- આમ વિચાર કરે કે-શું જીવદયા ધર્મ છે કે યજ્ઞમાં પશુઓનો વધ કરવારૂપ હિંસા છે તે ધર્મ છે? ઇત્યાદિ ધર્મમાં સંશય થાય તે શંકા છે અને તેવી શંકા ન કરવી તે નિઃશંક્તિ ( ગુણ ) છે.
ભાવાર્થ:- અહીં ‘આદિ' શબ્દથી એમ કહ્યું છે કેદિગમ્બર યતિનો જ મોક્ષ છે કે તાપસનો-પંચાગ્નિ આદિ તપ કરે છે. તેમનો-પણ છે ? અથવા દિગમ્બરનો જ મોક્ષ છે કે શ્વેતામ્બરનો પણ છે? અથવા કેવલી કવલાહાર કરે છે કે નથી ક૨તા ? અથવા સ્ત્રીનો મોક્ષ છે કે નહિ? અથવા જિનદેવે વસ્તુને અનેકાન્ત કહી છે તે સત્ય છે કે અસત્ય? આવી આશંકા ન કરવી તે નિઃશક્તિ-અંગ છે.
दयभावो वि य धम्मो हिंसाभावो ण भण्णदे धम्मो । इदि संदेहाभावो णिस्संका णिम्मणा होदि ।। ४९५ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com