________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪]
| [સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા થતો નથી, નિદાનમાત્ર ફળ થાય તો થાય. पुण्णासए ण पुण्णं जदो णिरीहस्स पुण्णसंपत्ती। इय जाणिऊण जइणो पुण्णे वि म आयरं कुणह।। ४१२।। पुण्याशया न पुण्यं यतः निरीहस्य पुण्यसम्प्राप्तिः। इति ज्ञात्वा यतिनः पुण्ये अपि मा आदरं कुरुध्वम्।। ४१२।।
અર્થ- કારણ કે પુણ્યની વાંચ્છાથી કાંઈ પુણ્યબંધ થતો નથી પરંતુ વાંચ્છા રહિત પુરુષને પુણ્યબંધ થાય છે એટલા માટે પણ અર્થાત્ એમ જાણીને પણ હું યતીશ્વર ! તમે પુણ્યમાં પણ વાંચ્છાઆદર ન કરો !
ભાવાર્થ- અહીં મુનિજનોને ઉપદેશ્યા છે કે પુણ્યની વાંચ્છાથી પુણ્યબંધ થતો નથી, પુણ્યબંધ તો આશા મટતાં બંધાય છે. માટે પુણ્યની આશા પણ ન કરો, માત્ર પોતાના સ્વરૂપની પ્રાપ્તિની આશા કરો. पुण्णं बंधदि जीवो मंदकसाएहि परिणदो संतो। तम्हा मंदकसाया हेऊ पुण्णस्स ण हि वंछा।। ४१३।। पुण्यं बध्नाति जीवः मन्दकषायैः परिणत: सन्। तस्मात् मन्दकषायाः हेतुः पुण्यस्य न हि वांछा।। ४१३।।
અર્થ - મંદકષાયરૂપ પરિણમેલો જીવ પુણ્યને બાંધે છે, માટે પુણ્યબંધનું કારણ મંદકષાય છે, પણ વાંચ્છા પુણ્યબંધનું કારણ નથી. પુણ્યબંધ મંદકષાયથી થાય છે અને તેની (પૂણ્યબંધની) વાંચ્છા છે તે તો તીવ્રકષાય છે માટે વાંચ્છા કરવી નહિ. નિર્વાચ્છક પુરુષને પુણ્યબંધ થાય છે. લૌકિકમાં પણ કહે છે કે જે ચાહના કરે તેને કાંઈ મળતું નથી અને ચાહ વિનાનાને ઘણું મળે છે; માટે વાંચ્છાનો તો નિષેધ જ છે.
પ્રશ્ન- અધ્યાત્મગ્રંથોમાં તો પુણ્યનો નિષેધ ઘણો કર્યો છે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com