________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[૨૫૩
માટે કરે ? તેમ મોક્ષના અર્થીને એ પુણ્યબંધની વાંચ્છા કરવી યોગ્ય નથી.
पुण्णं पि जो समिच्छदि संसारो तेण ईहिदो होदि । पुण्णं सग्गइ-हेऊ पुण्णखयेणेव णिव्वाणं ।। ४९० ।।
ય:
पुण्यं अपि यः समिच्छति संसारः तेन ईहितः भवति । पुण्यं सद्गतिहेतुः पुण्यक्षयेण एव निर्वाणम्।। ४१०।।
અર્થ:- જે પુણ્યને પણ ઇચ્છે છે તે પુરુષ સંસાર ઇચ્છયો, કારણ કે પુણ્ય છે તે સુગતિના બંધનું કારણ છે અને મોક્ષ છે તે તો પુણ્યનો પણ ક્ષય કરી પ્રાપ્ત થાય છે.
ભાવાર્થ:- પુણ્યથી સુગતિ થાય છે એટલે જેણે પુણ્ય વાંચ્છયું તેણે સંસાર જ વાંચ્છયો, કારણ કે સુગતિ છે તે પણ સંસાર જ છે; અને મોક્ષ તો પુણ્યનો પણ ક્ષય થતાં થાય છે એટલે મોક્ષાર્થીએ પુણ્યની વાંચ્છા કરવી યોગ્ય નથી.
जो अहिलसेदि पुण्णं सकसाओ विसयसोक्खताए । दूरे तस्स विसोही विसोहिमूलाणि पुष्णाणि ।। ४११ । । यः अभिलषति पुण्यं सकषायः विषयसौख्यतृष्णया। दूरे तस्य विशुद्धिः विशुद्धिमूलानि पुण्यानि । । ४११ । ।
અર્થ:- જે કષાય સહિત થતો થકો વિષયસુખની તૃષ્ણાથી પુણ્યની અભિલાષા કરે છે તેને મંદકષાયના અભાવથી વિશુદ્ધતા દૂર વર્તે છે. અને પુણ્યકર્મ છે તે તો વિશુદ્ધતા (મંદકષાય ) છે મૂળ-કારણ જેનું એવું છે.
ભાવાર્થ:- વિષયોની તૃષ્ણાથી જે પુણ્યને ઇચ્છે છે એ જ તીવ્રકષાય છે અને પુણ્યબંધ થાય છે તે તો મંદકષાયરૂપ વિશુદ્ધતાથી થાય છે, એટલે જે પુણ્યને ઇચ્છે છે તેને આગામી પુણ્યબંધ પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com