SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા નથી અને તત્ત્વાર્થશ્રદ્ધાન વિના અહિંસાધર્મની પ્રાપ્તિ કયાંથી હોય? હવે કહે છે કે-એવા અલબ્ધપૂર્વ ધર્મને પામી તેને કેવળ પુણ્યના જ આશયથી ન સેવવોઃएदे दहप्पयारा पावंकम्मस्स णासया भणिया। पुण्णस्स य संजणया पर पुण्णत्थं ण कायव्वा।। ४०९।। एते दशप्रकाराः पापकर्मण: नाशकाः भणिताः। पुण्यस्य च संजनकाः परं पुण्यार्थं न कर्त्तव्याः।। ४०९।। અર્થ:- એ દશ પ્રકારે ધર્મના ભેદ કહ્યા તે પાપકર્મના નાશ કરવાવાળા તથા પુણ્યકર્મને ઉત્પન્ન કરવાવાળા કહ્યા, પરંતુ તેને કેવળ પુણ્યના જ અર્થ એટલે પ્રયોજનથી અંગિકાર ન કરવા. ભાવાર્થ- શાતાવેદનીય, શુભઆયુ, શુભનામ અને શુભગોત્રને તો પુણ્યકર્મ કહે છે તથા ચાર ઘાતિકર્મ, અશાતા વેદનીય, અશુભનામ, અશુભઆયુ અને અશુભગોત્રને પાપકર્મ કહે છે. હવે અહીં આ દશલક્ષણધર્મ પાપને નાશ કરવાવાળો તથા પુણ્યને ઉપજાવવાવાળો કહ્યો; ત્યાં કેવળ પુણ્ય ઉપજાવવાનો અભિપ્રાય રાખી તેને ન સેવવો, કારણ કે પુણ્ય પણ બંધ જ છે. અને આ ધર્મ તો પાપ જે ઘાતિકર્મ છે તે નાશ કરવાવાળો છે. તથા અઘાતિમાં જે અશુભપ્રકૃતિ છે તેનો નાશ કરે છે. પુણ્યકર્મ છે તે સાંસારિક અભ્યદયને આપે છે. હવે તેનાથી (દશલક્ષણધર્મથી) વ્યવહારઅપેક્ષાએ તેનો પણ (પુણ્યનો પણ) બંધ થાય છે તો તે સ્વયમેવ જ થાય છે, પણ તેની વાંચ્છા કરવી એ તો સંસારની જ વાંચ્છા કરવા તુલ્ય છે અને એ તો નિદાન (ચોથે આર્તધ્યાન) થયું, મોક્ષના જિજ્ઞાસુને તે હોય નહિ. જેમ ખેડૂત અનાજ માટે ખેતી કરે છે, તેને ઘાસ તો સ્વયમેવ થાય છે, તેની વાંચ્છા તે શા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy