________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા એ ભેદોને અન્ય પ્રકારથી પણ કહ્યા છે તે અન્ય ગ્રંથોથી જાણવા. એ બધા આત્માના પરિણામવિકારના ભેદ છે. તે બધાને છોડી જ્યારે આત્મા પોતાના સ્વરૂપમાં રમણ કરે ત્યારે ઉત્તમ બ્રહ્મચર્યધર્મ હોય છે.
હવે શીલવાનનું માહભ્ય કહે છેजो णवि जादि वियारं तरुणियणकडक्खबाणविद्धो वि। सो चेव सूरसूरो रणसूरो णो हवे सूरो।। ४०४।। यः न अपि याति विकारं तरुणीजनकटाक्षबाणविद्धः अपि। सः एव शूरशूर: रणशूरः न भवेत् शूरः।। ४०४।।
અર્થ:- જે પુરુષ, સ્ત્રીજનના કટાક્ષરૂપ બાણોથી વિંધાયો છતાં પણ, વિકારને પ્રાપ્ત થતો નથી તે શૂરવીરોમાં પ્રધાન છે, પરંતુ જે રણસંગ્રામમાં શૂરવીર છે તે ખરેખર) શૂરવીર નથી.
ભાવાર્થ:- યુદ્ધમાં સામી છાતીએ મરવાવાળા શૂરવીર તો ઘણા છે પણ જે સ્ત્રીવશ ન બની બ્રહ્મચર્યવ્રત પાલન કરે છે એવા વિરલા છે, એ જ ઘણા સાહસી- શૂરવીર અને કામને
૧. અશુભ મન-વચન-કાયને શુભ મન-વચન-કાયથી હણવા એ રીતે શીલના
નવ ભેદ થયા. એ નવને અહાર, ભય, મૈથુન ને પરિગ્રહરૂપ ચાર સંજ્ઞાઓથી ગુણતાં ૩૬ ભેદ થયા. એ છત્રીસને પાંચ ઇન્દ્રિઓના જયથી ગુણતાં ૧૮૦ ભેદ થયા. એ ૧૮૦ ને પૃથ્વી, અપ, તેજ, વાયુ, વનસ્પતિ, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઈન્દ્રિય, સંજ્ઞી પંચેન્દ્રિય, અને અસંજ્ઞી પંચેન્દ્રિય એ દશ ભેદથી ગુણતાં ૧૮OO ભેદ થયા. તેને ઉત્તમક્ષમાદિ દશધર્મ ગુણતાં ૧૮OOO ભેદ થયા.
પટ્ટાભતાદિસંગ્રહ પૃષ્ઠ-૨૬૭
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com