________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[૨૪૭
ભાવાર્થ:- અહીં એમ પણ જાણવું કે–‘બ્રહ્મ' નામ આત્મા છે, તેમાં લીન થાય તે બ્રહ્મચર્ય છે. પદ્રવ્યમાં આત્મા લીન થાય તેમાં સ્ત્રીમાં લીન થવું પ્રધાન છે, કારણ કે કામ મનમાં ઉત્પન્ન થાય છે એટલે અન્ય કષાયોથી પણ એ પ્રધાન છે, અને એ કામનું આલંબન સ્ત્રી છે એટલે તેનો સંસર્ગ છોડી મુનિ પોતાના સ્વરૂપમાં લીન થાય છે. તેની સંગતિ કરવી, રૂપ નીરખવું, તેની કથા કરવી, સ્મરણ કરવુંએ સર્વ છોડે તેને બ્રહ્મચર્ય હોય છે. અહીં (સંસ્કૃત ) ટીકામાં શીલના અઢાર હજાર ભેદ આ પ્રમાણે લખ્યા છેઃ
અચેતન સ્ત્રી-કાષ્ઠ, પાષાણ અને લેપકૃત છે. તેને મનવચન-કાય તથા કૃત-કારિત-અનુમોદના એ છએ ગુણતાં અઢાર ભેદ થયા, તેને પાંચ ઇન્દ્રિયોથી ગુણતાં નેવું ભેદ થયા, તેને દ્રવ્ય અને ભાવથી ગુણતાં એકસો એંશી ભેદ થયા, તેને ક્રોધ-માન-માયા-લોભ એ ચારેથી ગુણતાં સાતસો વીસ ભેદ થયા. (એ પ્રમાણે અચેતન સ્ત્રી-નૈમિત્તિક કુશીલ સાતસો વીસ ભેદે થયું. ) તથા:
ચેતન સ્ત્રી–દેવાંગના, મનુષ્યણી અને તિર્યંચણી. એ ત્રણને કૃત-કારિત અનુમોદનાથી ગુણતાં નવ ભેદ થયા, તેને મનવચન-કાયા એ ત્રણથી ગુણતાં સત્તાવીશ ભેદ થયા. તેને પાંચ ઇન્દ્રિયોથી ગુણતાં એકસો પાંત્રીસ ભેદ થયા, તેને દ્રવ્ય અને ભાવથી ગુણતાં બસો સીત્તેર થયા, તેને આહાર-ભય-મૈથુનપરિગ્રહ એ ચાર સંજ્ઞાથી ગુણતાં એક હજાર એંશી ભેદ થયા, તેને અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણી, પ્રત્યાખ્યાનાવરણી અને સંજ્વલનરૂપ ક્રોધ-માન-માયા- લોભરૂપ સોળ કષાયોથી ગુણતાં સત્તર હજાર બસો એંશી ભેદ થયા, તેમાં ઉપરના અચેતનસ્ત્રીનૈમિત્તિક સાતસો વીસ મેળવતાં કુશીલના ૧૮૦૦૦ અઢાર હજાર ભેદ થાય છે. વળી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com