________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા].
[૨૪૩ જ્યાં પાપકર્મ-હિંસાકર્મ થતું હોય ત્યાં જાય નહિ, દીનના ઘરે, અનાથના ઘરે, દાનશાળામાં, યજ્ઞશાળામાં, યજ્ઞપૂજનશાળામાં તથા વિવાહાદિ મંગળ જ્યાં હોય તેના ઘરે આહાર અર્થે જાય નહિ, ધનવાનને ત્યાં જવું કે નિર્ધનને ત્યાં જવું એમ વિચારે નહિ, લોકનિંધ કુળના ઘરે જાય નહિ, દીનવૃત્તિ કરે નહિ, આગમમાં કહ્યા પ્રમાણે દોષ-અંતરાય ટાળી નિર્દોષ પ્રાસુક આહાર લે તે ભિક્ષાશુદ્ધિ છે. ત્યાં લાભ-અલાભ, સરસ-નીરસમાં સમાનબુદ્ધિ રાખે. એવી ભિક્ષા પાંચ પ્રકારની કહી છે. ૧. ગોચરી, ૨. અક્ષમ્રક્ષણ, ૩. ઉદાગ્નિપ્રશમન, ૪. ભ્રમરાહાર, ૫. ગર્તપૂરણ. ત્યાં ગાયની માફક દાતારની સંપદાદિ તરફ નહિ જોતાં જેવો પ્રાપ્ત થયો તેવો આહાર લેવામાં જ ચિત્ત રાખે તે ગોચરીવૃત્તિ છે, જેમ ગાડીને વાંગિ (ઊંજણ કરી) ગામ પહોંચાડે તેમ સંયમની સાધક કાયાને નિર્દોષ આહાર આપી સંયમ સાધે તે અક્ષમ્રક્ષણવૃત્તિ છે. અગ્નિ લાગી હોય તેને જેવા તેવા પાણીથી બુઝાવી ઘરને બચાવે તેમ ક્ષુધાઅગ્નિને સરસ-નીરસ આહારથી બુઝાવી પોતાના પરિણામ ઉજ્જવલ રાખે તે ઉદરાગ્નિપ્રશમનવૃત્તિ છે. ભમરો જેમ ફૂલને બાધા ન પહોંચે અને વાસના લે તેમ મુનિ દાતારને બાધા પહોંચાડ્યા સિવાય આહાર લે તે ભ્રમરાહારવૃત્તિ છે. તથા જેમ ગર્તને એટલે ખાડાને જેમ તેમ ભરતી કરી ભરી દેવામાં આવે તેમ મુનિ સ્વાદ- બેસ્વાદ આહારથી ઉદરને ભરે તે ગર્તપૂરણવૃત્તિ છે.-એ પ્રમાણે ભિક્ષાશુદ્ધિ છે. જીવોને જોઈ યત્નપૂર્વક મળ-મૂત્રશ્લે ખ-થુંક વગેરે ક્ષે પણ કરે તે પ્રતિષ્ઠાપનાશુદ્ધિ છે. જ્યાં સ્ત્રી, દુષ્ટ જીવ, નપુંસક, ચોર, મધપાની એ જીવવધ કરવાવાળા નીચ મનુષ્યો વસતા હોય ત્યાં (મુનિ ) ન વસે તે શયનાસનશુદ્ધિ છે; વળી શૃંગાર, વિકારી આભૂષણ, સુંદર વેષ ધારનારી એવી વેશ્યાદિકની જ્યાં કીડા હોય, સુંદર ગીત, નૃત્ય, વાજિંત્ર જ્યાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com