________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[ ૨૪૧ ભાવાર્થ- સંયમ બે પ્રકારનો કહ્યો છે : ઇન્દ્રિય મનને વશ કરવું તથા છ કાયના જીવોની રક્ષા કરવી. મુનિને આહારવિહારાદિ કરવામાં ગમન-આગમનાદિ કામ કરવું પડે છે પણ તે કાર્યો કરતાં એવા પરિણામ રહ્યા કરે કે “હું તૃણમાત્રનો પણ છેદ ન કરું, મારા નિમિત્તે કોઈનું અહિત ન થાઓ'. એવા યત્નરૂપ પ્રવર્તે છે, જીવદયામાં જ તત્પર રહે છે. અન્ય ગ્રંથોમાં સંયમનું વિશેષ વર્ણન કર્યું છે તે અહીં ટીકાકાર સંક્ષેપમાં કહે છે :
સંયમ બે પ્રકારનો છે: એક ઉપેક્ષાસંયમ તથા બીજો અપહતસંયમ. ત્યાં જે સ્વભાવથી જ રાગદ્વેષને છોડી મુસિધર્મમાં કાર્યોત્સર્ગ-ધ્યાનપૂર્વક રહે તેને ઉપેક્ષાસંયમ કહે છે. “ઉપેક્ષા નામ ઉદાસીનતા વા વીતરાગતાનું છે. બીજા અપહૃતસંયમના ત્રણ ભેદ છેઃ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય. ત્યાં ચાલતાં-બેસતાં જો જીવ દેખાય તો તેને ટાળીને જાય પણ જીવને સરકારે નહિ તે ઉત્કૃષ્ટ છે, કોમળ મોરપીંછીથી જીવને સરકાવે તે મધ્યમ છે તથા અન્ય તૃણાદિકથી સરકારે તે જઘન્ય છે. અહીં અપહૃતસંયમીને પાંચ સમિતિનો ઉપદેશ છે. ત્યાં આહારવિહાર અર્થે ગમન કરે તો પ્રાસુકમાર્ગ જોઈ જુડાપ્રમાણ (ચાર હાથ) ભૂમિને જોઈ મંદ મંદ અતિ યત્નાચારપૂર્વક ગમન કરે તે ઈર્યાસમિતિ છે; ધર્મોપદેશાદિ અર્થે વચન કહે તો હિતરૂપ, મર્યાદાપૂર્વક અને સંદેહરહિત સ્પષ્ટ અક્ષરરૂપ વચન કહે, અતિ પ્રલાપાદિ વચનના દોષરહિત બોલે તે ભાષાસમિતિ છે; કાયાની સ્થિતિ અર્થે આહાર કરે, તે પણ મનવચન-કાય- કૃત-કારિત-અનુમોદના દોષ જેમાં ન લાગે એવો, પરનો આપેલો છે, છેતાળીસ દોષ, બત્રીસ અંતરાય અને ચૌદ મળદોષ રહિત, પોતાના કરપાત્રમાં ઊભા ઊભા, અતિ યત્નપૂર્વક શુદ્ધઆહાર કરે તે એષણાસમિતિ છે; અતિ યત્નાચાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com