________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૦]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા જ્ઞાનથી અગોચર જીવ હોય તો પણ પોતાની દૃષ્ટિમાં જીવ નહિ દેખવાથી આગમઅનુસાર કહે કે “આ પ્રાસુક છે'.
૧૦. આગમગોચર વસ્તુને આગમનાં વચનાનુસાર કહેવી તે સમયસત્ય છે. જેમ પલ્ય-સાગર ઇત્યાદિ કહેવા.
આ દસ પ્રકારનાં સત્યનું કથન ગોમ્મદસારમાં પણ છે. ત્યાં સાત નામ તો આમાં છે તે જ છે તથા ત્રણ નામ-દેશ, સંયોજના અને સમયની જગ્યાએ ત્યાં સંભાવના, વ્યવહાર અને ઉપમા એમ છે, અને ઉદાહરણ અન્ય પ્રકારથી છે. એ વિવક્ષાનો ભેદ સમજવો, તેમાં વિરોધ નથી. એ પ્રમાણે જિનસૂત્રાનુસાર સત્યવચનની પ્રવૃત્તિ કરે તેને (ઉત્તમ) સત્યધર્મ હોય છે.
હવે ઉત્તમ સંયમધર્મ કહે છે :जो जीवरक्खणपरो गमणागमणादिसव्वकज्जेसु। तणछेदं पि ण इच्छदि संजमधम्मो हवे तस्स।। ३९९ ।।
यः जीवरक्षणपर: गमनागमनादिसर्वकार्येषु। तृणच्छेदं अपि न इच्छति संयमधर्मः भवेत् तस्य।। ३९९ ।।
અર્થ- જે મુનિ, જીવોની રક્ષામાં તત્પર વર્તતો થકો, ગમનાગમન આદિ સર્વ કાર્યોમાં તૃણનો છેદમાત્ર પણ ન ઈચ્છે, ન કરે તે મુનિને ઉત્તમ સંયમધર્મ હોય છે.
१ जणवदसम्मदिठवणाणामे रूवे पडुच्चववहारे। संभावणे य भावे उवमाए दसविहं सच्चं।।
(ગો, જીવ ગા) ૨૨૨) અર્થ:- જનપદમાં, સંવૃતિ વા સમ્મતિમાં, સ્થાપનામાં, નામનાં, રૂપમાં પ્રતીત્યમાં,
વ્યવહારમાં, સંભાવનામાં, ભાવમાં ઉપમામાં એવા દસ સ્થાનોમાં દસ પ્રકારથી સત્ય જાણવાં. (આ દસ સત્યની વિશેષ વ્યાખ્યા માટે જુઓ ગો.જી.ગા. રર૩-૨૨૪ની ટીકા)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com