________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[ ૨૩૯ ૧. ગુણ વિના પણ વક્તાની ઇચ્છાથી કોઈ વસ્તુનું નામ સંજ્ઞા કરવામાં આવે તે નામસત્ય છે.
૨. રૂપમાત્રથી કહેવામાં આવે અર્થાત્ ચિત્રમાં જેમ કોઈનું રૂપ આલેખી કહેવામાં આવે કે “આ સફેદ વર્ણવાળો ફલાણો પુરુષ છે' તે રૂપસત્ય છે.
૩. કોઈ પ્રયોજન અર્થે કોઈની મૂર્તિ સ્થાપી કહેવામાં આવે તે સ્થાપનાસત્ય છે.
૪. કોઈ પ્રતીતિના અર્થે આશ્રયપૂર્વક કહેવામાં આવે તે પ્રતીતિસત્ય છે. જેમ “તાલ” એવું પરિમાણ વિશેષ છે, તેના આશ્રયથી કહેવામાં આવે કે “આ તાલપુરુષ છે', અથવા લાંબા કહે તો નાનાની પ્રતીતિ (આશ્રય) કરીને કહે.
૫. લોકવ્યવહારના આશ્રયથી કહે તે સંવૃતિસત્ય છે. જેમ કમળની ઉત્પત્તિનાં અનેક કારણો છે તોપણ તે પંકમાં થયું છે માટે પંકજ કહીએ છીએ.
- ૬, વસ્તુને અનુક્રમે સ્થાપવાનું વચન કહે તે સંયોજના સત્ય છે. જેમ દશલક્ષણનું મંડલ કરે તેમાં અનુક્રમપૂર્વક ચૂર્ણના કોઠા કરે અને કહે કે આ ઉત્તમ ક્ષમાનો (કોઠો) છે, ઇત્યાદિ જોડરૂપ નામ કહે, અથવા બીજું દષ્ટાન્ત: જેમ ઝવેરી મોતીની લટો કરે તેમાં મોતીઓની સંજ્ઞા સ્થાપી લીધી છે એટલે જ્યાં જવું જોઈએ તે જ અનુક્રમથી મોતી પરોવે.
૭. જે દેશમાં જેવી ભાષા હોય તે કહેવી તે જનપદસત્ય છે.
૮. ગામ-નગરાદિનું ઉપદેશક વચન તે દેશસત્ય છે. જેમ ચોતરફ વાડ હોય તેને ગામ કહે છે.
૯. છાસ્થના જ્ઞાનથી અગોચર અને સંયમાદિક પાલન અર્થે જે વચન બોલાય તે ભાવસત્ય છે. જેમ કોઈ વસ્તુમાં છબસ્થના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com