________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા].
[ ૨૩૭ અને કહેવું બીજાં તથા કરવું વળી કોઈ બીજું, ત્યાં માયાકષાય પ્રબળ હોય છે. એમ ન કરે પણ નિષ્કપટ બની પ્રવર્તે, પોતાનો દોષ છુપાવે નહિ પણ જેવો હોય તેવો બાળકની માફક ગુની પાસે કહે ત્યાં ઉત્તમ આર્જવધર્મ હોય છે.
હવે ઉત્તમ શૌચધર્મ કહે છે. समसंतोसजलेण य जो धोवदि तिहलोहमलपुंजं। भोयणगिद्धिविहीणो तस्स सउच्चं हवे विमलं ।। ३९७।। समसन्तोषजलेन च यः धोवति तृष्णालोभमलपुंजम्। भोजनगृद्धिविहीन: तस्य शौचं भवेत् विमलम्।। ३९७ ।।
અર્થ:- જે મુનિ સમભાવ અર્થાત રાગદ્વેષરહિત પરિણામ અને સંતોષ અર્થાત સંતુષ્ટભાવરૂપ જળથી તૃષ્ણા તથા લોભરૂપ મળસમૂહને ધોવે છે, ભોજનની વૃદ્ધિ અર્થાત્ અતિ ચાહનાથી રહિત છે તે મુનિનું ચિત્ત નિર્મળ છે, અને તેને ઉત્તમ શૌચધર્મ હોય છે.
ભાવાર્થ- તૃણ-કંચનને સમાન જાણવું તે સમભાવ છે તથા સંતોષ-સંતુષ્ટપણું-તૃતભાવ અર્થાત્ પોતાના સ્વરૂપમાં જ સુખ માનવું એવા ભાવરૂપ જળથી ભવિષ્યમાં મળવાની ચાહનારૂપ તૃષ્ણા તથા પ્રાપ્ત દ્રવ્યાદિકમાં અતિ લિસપણારૂપ લોભ, એના (એ બંનેના) ત્યાગમાં અતિ ખેદરૂપ મળને ધોવાથી મન પવિત્ર થાય છે. મુનિને અન્ય ત્યાગ તો હોય જ છે પરંતુ આહારના ગ્રહણમાં પણ તીવ્ર ચાહુના રાખે નહિ, લાભ-અલાભ, સરસ-નીરસમાં સમભાવ રાખે તો ઉત્તમ શૌચધર્મ હોય છે. વળી જીવનલોભ, આરોગ્ય રાખવાનો લોભ, ઇન્દ્રિયો તાજી રાખવાનો લોભ તથા ઉપભોગનો લોભ એ પ્રમાણે લોભની ચાર પ્રકારથી પ્રવૃત્તિ છે, તે ચારેને પોતાસંબંધી તથા પોતાના સ્વજન-મિત્રાદિ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com