________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
उत्तमज्ञानप्रधानः उत्तमतपश्चरणकरणशीलः अपि । आत्मानं यः हीलति मार्दवरत्नं भवेत् तस्य ।। ३९५ ।।
અર્થ:- જે મુનિ ઉત્તમજ્ઞાનથી તો પ્રધાન હોય તથા ઉત્તમ તપશ્ચરણ કરવાનો જેનો સ્વભાવ હોય તોપણ જે પોતાના આત્માને મદરહિત કરે-અનાદરૂપ કરે તે મુનિને ઉત્તમ માર્દવધર્મરત્ન હોય છે.
ભાવાર્થ:- સકલ શાસ્ત્રને જાણવાવાળો પંડિત હોય તોપણ જ્ઞાનમદ ન કરે. ત્યાં આમ વિચારે કે મારાથી મોટા અવધિમન:પર્યયજ્ઞાની છે, કેવળજ્ઞાની તો સર્વોત્કૃષ્ટ જ્ઞાની છે, હું કોણ છું? અલ્પજ્ઞ છું. વળી ઉત્તમતપ કરે તોપણ તેનો મદ ન કરે, પોતે સર્વ જાતિ, કુળ, બળ, વિદ્યા, ઐશ્વર્ય અને તપ આદિ વડે સર્વથી મોટો છે તોપણ ૫૨કૃત અપમાનને પણ સહન કરે છે પરંતુ ત્યાં ગર્વ કરી કષાય ઉપજાવતો નથી. ત્યાં ઉત્તમ માર્દવધર્મ હોય છે.
હવે ઉત્તમ આર્જવધર્મ કહે છે :
जो चिंतेइ ण वंकं कुणदि ण वंकं ण जंपए वंकं । णय गोवदि णियदोसं अज्जवधम्मो हवे तस्स ।। ३९६ ।।
यः चिन्तयति न वक्रं करोति न वक्रं न जल्पते वक्रम् । न च गोपायति निजदोषं आर्जवधर्मः भवेत् तस्य ।। ३९६ ।।
અર્થ:- જે મુનિ મનમાં વક્રતા ન ચિંતવે, કાયાથી વક્રતા ન કરે, વચનથી વક્રતા ન બોલે તથા પોતાના દોષોને ગોપવે નહિછુપાવે નહિ તે મુનિને ઉત્તમ આર્જવધર્મ હોય છે.
ભાવાર્થ:- મન-વચન-કાયામાં સરળતા હોય અર્થાત્ જે મનમાં વિચારે, તે જ વચનથી કહે અને તે જ કાયાથી કરે, પણ બીજાને ભુલવણીમાં નાખવા-ઠગવા અર્થે વિચાર તો કાંઈ કરવો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com