________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૦]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા માંસાદિક વા સચિત્ત એવો અયોગ્ય આહાર ન લે તે ઉષ્ટિવિરતિ શ્રાવક છે.
હવે “અંતસમયમાં શ્રાવક આરાધના કરે ” એમ કહે છે :जो सावयवयसुद्धो अंते आराहणं परं कुणदि। सो अच्चुदम्हि सग्गे इंदो सुरसेविदो होदि।। ३९१ ।। यः श्रावकव्रतशुद्धः अन्ते आराधनं परं करोति। स: अच्युते स्वर्गे इन्द्रः सुरसेवितः भवति।। ३९१।।
અર્થ- જે શ્રાવકવ્રતોથી શુદ્ધ છે તથા અંતસમયે દર્શન, જ્ઞાન, ચારિત્ર અને પરૂપ ઉત્કૃષ્ટ આરાધના આરાધે છે તે અય્યત સ્વર્ગમાં દેવોથી સેવનીય ઇન્દ્ર થાય છે.
ભાવાર્થ:- જે સમ્યગ્દષ્ટિશ્રાવક નિરતિચારપણે અગિયાર પ્રતિમા રૂપ શુદ્ધ વ્રતનું પાલન કરે છે અને અંતસમયે મરણકાળમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપ ( એ ચાર) આરાધનાને આરાધે છે તે અશ્રુતસ્વર્ગમાં ઇન્દ્ર થાય છે. આ, ઉત્કૃષ્ટ શ્રાવકના વ્રતોનું ઉત્કૃષ્ટ ફળ છે. એ પ્રમાણે અગિયાર પ્રતિમાઓનું સ્વરૂપ કહ્યું. અન્ય ગ્રંથોમાં તેના બે ભેદ કહ્યા છે. પ્રથમ ભેદવાળો તો એક વસ્ત્ર રાખે, કેશોને કાતરથી વા અસ્તરાથી સોરાવે (લૌર કરાવે), પોતાના હાથથી પ્રતિલેખન કરે, બેસીને ભોજન કરે, પોતાના હાથમાં ભોજન કરે ના પાત્રમાં પણ કરે, ત્યારે બીજા ભેદવાળો કેશોનોલોચ કરે. પ્રતિ-લેખન પાછળથી કરે, પોતાના હાથમાં જ ભોજન કરે તથા કોપિન ધારણ કરે ઇત્યાદિક. તેની વિધિ અન્ય ગ્રંથોથી સમજવી. એ પ્રમાણે પ્રતિમા તો અગિયાર થઈ તથા બાર ભેદ કહ્યા હતા તેમાં આ શ્રાવકનો બારમો ભેદ થયો.
હવે અહીં સંસ્કૃત ટીકાકારે અન્ય ગ્રંથાનુસાર શ્રાવકસંબંધી થોડુંક કથન લખ્યું છે, તે સંક્ષેપમાં લખીએ છીએ :
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com