________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[ ૨૨૫ ભાવાર્થ:- માંસભક્ષણદોષ તથા બહુઆરંભી ત્રસઘાતદોષની અપેક્ષાએ રાત્રિભોજનનો ત્યાગ તો પહેલી-બીજી પ્રતિમામાં જ કરાવ્યો છે. પરંતુ ત્યાં કૃત-કારિત-અનુમોદના તથા મન-વચન-કાયાના કોઈ ઘેષ લાગે છે તેથી શુદ્ધ ત્યાગ નથી અને અહીં તો (એ બધા દોષો ટાળી) શુદ્ધ ત્યાગ થાય છે માટે તેને પ્રતિમા કહી છે.
जो णिसिभुतिं वज्जदि सो उववासं करेदि छम्मासं। संवच्छरस्स मज्झे आरंभं चयदि रयणीए।। ३८३।। यः निशिभुक्तिं वर्जयति सः उपवासं करोति षण्मासम्। संवत्सरस्य मध्ये आरम्भं त्यजति रजन्याम्।।३८३।।
અર્થ:- જે પુરુષ રાત્રિભોજન છોડે છે તે એક વરસદહાડે છે માસના ઉપવાસ કરે છે, રાત્રિભોજનના ત્યાગથી ભોજનસંબંધી આરંભ પણ ત્યાગે છે તથા વ્યાપારાદિ સંબંધી આરંભ પણ છોડ છે. તેથી તે મહાન દયાપાલન કરે છે.
- ભાવાર્થ- જે રાત્રિભોજન ત્યાગે છે તે વરસદહાડે છે માસના ઉપવાસ કરે છે તથા અન્ય આરંભનો પણ રાત્રિમાં ત્યાગ કરે છે. વળી અન્ય ગ્રન્થોમાં આ પ્રતિમામાં દિવામૈથુનત્યાગ એટલે દિવસમાં મન-વચન-કાય, કૃત-કારિતઅનુમોદના પૂર્વક સ્ત્રીસેવનનો ત્યાગ પણ કહ્યો છે. એ પ્રમાણે રાત્રિભોજનત્યાગપ્રતિમાનું નિરૂપણ કર્યું. આ પ્રતિમા છઠ્ઠી છે તથા બાર ભેદોમાં સાતમો ભેદ છે.
હવે બ્રહ્મચર્યપ્રતિમાનું નિરૂપણ કરે છે - सव्वेसिं इत्थीणं जो अहिलासं ण कुव्वदे णाणी। मण-वाया-कायेण य बंभवई सो हवे सदओ।।३८४।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com