________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[ ૨૧૭ ભાવાર્થ- કષાયો અને કાયાની ક્ષીણતા કરવી તેને સંલેખના કહે છે. ત્યાં શ્રાવક, બારવ્રતોના પાલન સહિત પાછળથી મરણ સમય જાણતાં પ્રથમ સાવધાન થઈ, સર્વ વસ્તુ પ્રત્યેનું મમત્વ છોડી કષાયોને ક્ષીણ કરી ઉપશમભાવરૂપ મંદકષાયી થાય તથા કાયાને અનુક્રમથી અનશન-ઊણોદરનીરસાદિ તપોથી ક્ષીણ કરે. પ્રથમ એ પ્રમાણે કાયાને ક્ષીણ કરે તો શરીરમાં મળમૂત્રના નિમિત્તથી જે રોગ થાય છે તે ન થાય, અંત સમયમાં અસાવધાનતા ન થાય. એ પ્રમાણે સંલેખના કરે. અંતસમયે સાવધાન બની પોતાના સ્વરૂપમાં વા અરહંતસિદ્ધપરમેષ્ઠિના સ્વરૂપચિત્વનમાં લીન થઈ વ્રતરૂપ-સંવરરૂપ પરિણામસહિત બન્યો થકો પર્યાયને છોડે તો તે સ્વર્ગસુખને પ્રાપ્ત થાય છે અને ત્યાં પણ આ જ વાંચ્છા રહે છે કે “મનુષ્ય થઈ વ્રત પાલન કરે '. એ પ્રમાણે અનુક્રમથી મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. एक्कं पि वयं विमलं सद्दिट्टी जइ कुणेदि दिढचित्तो। तो विविहरिद्धिजुत्तं इंदत्तं पावए णियमा।। ३७०।। एकं अपि व्रतं विमलं सदृष्टि: यदि करोति दृढचित्तः। तत् विविधर्द्धियुक्तं इन्द्रत्व प्राप्नोति नियमात्।। ३७०।।
અર્થ - જે સમ્યગ્દષ્ટિજીવ દઢચિત્ત બની એક પણ વ્રત અતિચાર રહિત નિર્મળ પાલન કરે તો તે નાનાપ્રકારની ઋદ્ધિઓથી યુક્ત ઇન્દ્રપણાને નિયમથી પ્રાપ્ત થાય.
ભાવાર્થ- અહીં એક પણ વ્રત અતિચાર રહિત પાળવાનું ફળ ઇન્દ્રપણું નિયમથી કહ્યું. ત્યાં એવો આશય જણાય છે કે સર્વ વ્રતોના પાલનના પરિણામ સમાનજાતિના છે, જ્યાં એક વ્રત દઢચિત્તથી પાલન કરે ત્યાં તેના અન્ય સમાનજાતીય વ્રત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com