SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૮] ( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા પાલનનું અવિનાભાવિપણું એટલે “બધાંય વ્રત પાળ્યાં” કહે છે. વળી આમ પણ છે કે-જો એક ત્યાગની આખડીને અંતસમયે દઢચિત્તથી પકડી તેમાં પરિણામ લીન થતાં પર્યાય છૂટે તો તે કાળમાં અન્ય ઉપયોગના અભાવથી મહાન ધર્મધ્યાન સહિત અન્ય ગતિમાં ગમન થાય તો ઉચ્ચગતિમાં જ થાય એવો નિયમ છે. એવા આશયથી એક વ્રતનું એવું માહાભ્ય કહ્યું છે, પણ અહીં એમ ન જાણવું કે એક વ્રત તો પાલન કરે અને અન્ય પાપ સેવ્યા કરે તો તેનું પણ ઉચ્ચફળ થાય છે. એ પ્રમાણે તો ચોરી છોડ અને પરસ્ત્રી સેવ્યા કરે-હિંસાદ કર્યા કરે તેનું પણ ઉચ્ચફળ થાય, પરંતુ એમ નથી. એ પ્રમાણે બીજી વ્રતપ્રતિમાનું નિરૂપણ કર્યું. બાર ભેદોની અપેક્ષાએ આ ત્રીજો ભેદ થયો. હવે ત્રીજી સામાયિકપ્રતિમાનું નિરૂપણ કરે છે:जो कुणदि काउसग्गं बारसआवत्तसुंजुदो धीरो। णमणदुर्ग पि कुणंतो चदुप्पणामो पसण्णप्पा।।३७१।। चिंतंतो ससरूव जिणबिंब अहव अक्खरं परमं। झायदि कम्मविवायं तस्स वयं होदि सामइयं ।। ३७२।। यः करोति कायोत्सर्ग द्वादशावर्त्तसंयुतः धीरः। नमनद्विकं अपि कुर्वन् चतुःप्रणामः प्रसन्नात्मा।। ३७१।। चिन्तयन् स्वस्वरूपं जिनबिम्बं अथवा अक्षरं परमम्। ध्यायति कर्मविपाकं तस्य व्रतं भवति सामायिकम्।। ३७२।। અર્થ:- જે સમ્યગ્દષ્ટિ શ્રાવક બાર આવર્ત સહિત, ચાર પ્રણામ સહિત, બે નમસ્કાર કરતો થકો પ્રસન્ન છે આત્મા જેનો એવો ધીરદઢચિત્ત બનીને કાર્યોત્સર્ગ કરે છે અને ત્યાં પોતાના ચૈતન્યમાત્ર શુદ્ધસ્વરૂપને ધ્યાવતો-ચિતવતો રહે છે વા જિનબિંબને ચિંતવતો રહે છે વા પરમેષ્ઠિવાચક પાંચ નમોકારને ચિંતવતો રહે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy