________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
૨૦૭ जो परिहरेइ संतं तस्स वयं थुव्वदे सुरिंदेहिं। जो मणलड्डु व भक्खदि तस्स वयं अप्पसिद्धियरं।। ३५१ ।। यः परिहरति संतं तस्य व्रतं स्तूयते सुरेन्द्रैः।। यः मनोमोदकवत् भक्षयति तस्य व्रतं अल्पसिद्धिकरम्।। ३५१ ।।
અર્થ- જે પુરુષ છતી (પ્રાસ- મોજાદ) વસ્તુનો ત્યાગ કરે છે તેના વ્રતને દેવોના ઇન્દ્રો પણ અભિનંદે છે–પ્રશંસે છે તથા અપ્રામ વસ્તુનો ત્યાગ તો એવો છે કે જેમ લાડુ તો હોય નહિ અને મનમાં સંકલ્પમાત્ર લાડુની કલ્પના કરી લાડુ ખાય તેવો છે. અહીં અણછતી વસ્તુ સંકલ્પમાત્ર છોડવી એ વ્રત તો છે પરંતુ અલ્પ સિદ્ધિદાતા છે અર્થાત્ તેનું ફળ અલ્પ છે.
પ્રશ્ન- ભોગપભોગપરિમાણને અહીં ત્રીજા ગુણવ્રતમાં ગણું પણ તત્ત્વાર્થસૂત્રમાં ત્રીજાં ગુણવ્રત, તો દેશવ્રત કહ્યું છે અને ભોગોપભોગપરિમાણવ્રતને ત્રીજા શિક્ષાવ્રતમાં ગણ્યું છે તેનું શું કારણ? તેનું સમાધાનઃ
એ આચાર્યોની વિવક્ષાનું વિચિત્રપણું છે. સ્વામીસમભદ્રાચાર્યે રત્નકાંડશ્રાવકાચારમાં પણ અહીં કહ્યું તેમ જ કહ્યું છે-એમાં વિરોધ નથી. અહીં તો અણુવ્રતના ઉપકારકની અપેક્ષા લીધી છે અને ત્યાં (તત્ત્વાર્થસૂત્રમાં) સચિત્તાદિ ભોગ છોડવાની અપેક્ષા-મુનિવ્રતની શિક્ષા આપવાની અપેક્ષા લીધી છે એટલે એમાં કાંઈ વિરોધ નથી, એ પ્રમાણે ગુણવ્રતનું વ્યાખ્યાન કર્યું.”
*
* दिग्वतमनर्थदण्डव्रतं च भोगोपभोगपरिमाणम्;
अनुबॅहणाद्गुणानामाख्यान्ति गुणव्रतान्यार्याः।। ६७।। દિવ્રત, અનર્થદંડવ્રત, ભોગપભોગપરિમાણવ્રત એ ત્રણ વ્રતો અણુવ્રતોને વધારવાના હેતુરૂપ હોવાથી તેને ગુણવ્રત કહે છે. (રત્નકાંડશ્રાવકાચાર)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com