________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[ ૨૦૫ આદિનો વણજવ્યાપાર-લેણદેણ કરવાં; તેમાં પણ ફળ તો અલ્પ છેપાપ ઘણું છે માટે તે પણ અનર્થદંડ જ છે. એમાં પ્રવર્તતાં વ્રતભંગ થાય છે અને એને છોડતાં વતની રક્ષા થાય છે. ' હવે દુઃશ્રુતિ નામનો પાંચમો અનર્થદંડ કહે છે:जं सवणं सत्थाणं भंडणवसियरणकामसत्थाणं। परदोसाणं च तहा अणत्थदंडो हवे चरिमो।।३४८।। यत श्रवणं शास्त्राणां भण्डणवशीकरणकामशास्त्राणाम। परदोषाणां च तथा अनर्थदण्डः भवेत् चरमः।। ३४८।।
અર્થ - જે સર્વથા એકાન્તવાદીઓનાં કહેલાં શાસ્ત્રો કે જે શાસ્ત્ર જેવો દેખાય છે એવા કુશાસ્ત્રો, ભાંડક્રિયા-હાસ્ય-કુતૂહલકથનનાં શાસ્ત્રો, વશીકરણ મંત્રપ્રયોગનાં શાસ્ત્રો. સ્ત્રીઓની ચેષ્ટાના વર્ણનરૂપ કામશાસ્ત્રો એ બધાનું સાંભળવું ઉપલક્ષણથી વાંચવુંશીખવું-સંભળાવવું તથા પરના દોષોની કથા કરવી-સાંભળવી તે દુઃશ્રુતિશ્રવણ નામનો છેલ્લો પાંચમો અનર્થદંડ છે.
ભાવાર્થ- ખોટાં શાસ્ત્રો સાંભળવા-વાંચવાં-સંભળાવવાં-રચવાં એમાં આપણું કાંઈ પ્રયોજન સિદ્ધ થતું નથી, માત્ર પાપ જ થાય છે. વળી આજીવિકા અર્થે પણ એનો વ્યવહાર કરવો શ્રાવકને ઉચિત નથી. માત્ર વ્યાપારાદિ વડે યોગ્ય આજીવિકા જ શ્રેષ્ઠ છે. જેમાં વ્રતભંગ થાય તેવું તે શા માટે કરે? વ્રતની રક્ષા જ કરવી યોગ્ય છે.
હવે અનર્થદંડના કથનને સંકોચે છે - एवं पंचपयारं अणत्थदंडं दुहावहं णिच्चं। जो परिहरेदि णाणी गुणव्वदी सो हवे बिदिओ।। ३४९ ।। एवं पञ्चप्रकारं अनर्थदण्डं दु:खावहं नित्यम्। यः परिहरति ज्ञानी गुणव्रती सः भवेत् द्वितीयः ।। ३४९ ।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com