________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા विहलो जो वावारो पुढवीतोयाण अग्गिपवणाण। तह वि वणप्फदिछेदो अणत्थदंडो हवे तिदिओ।।३४६ ।। विफल: यः व्यापार: पृथ्वीतोयानां अग्निपवनानां। तथा अपि वनस्पतिच्छेदः अनर्थदण्ड: भवेत् तृतीयः।। ३४६ ।।
અર્થ:- અફળ-નિપ્રયોજન એવા પૃથ્વી, જળ, અગ્નિ અને પવનના વ્યાપારમાં પ્રવૃત્તિ કરવી તથા નિપ્રયોજન હરિત (લીલોતરી) વનસ્પતિકાયનું છેદન-ભેદન કરવું તે ત્રીજો પ્રમાદચર્યા નામનો અનર્થદંડ છે.
ભાવાર્થ- પ્રમાદવશ બની પૃથ્વી-જળ-અગ્નિ-વાયુ અને હરિતકાયની વિના પ્રયોજન વિરાધના કરે ત્યાં ત્રણ-સ્થાવરજીવોનો વાત તો થાય છે જ અને પોતાનું કાર્ય કાંઈ પણ સધાતું નથી તેથી એ કરવામાં વ્રતભંગ થાય છે; એને છોડતાં જ વ્રતની રક્ષા થાય છે.
હવે હિંસાદાન નામનો ચોથો અનર્થદંડ કહે છે:मज्जारपहुदिधरणं आउहलोहादिविक्कणं जं च। लक्खाखलादिगहणं अणत्थदंडो हवे तुरिओ।। ३४७।। मार्जारप्रभृतिधरणं आयुधलोहादिविक्रयः यः च। लाक्षाखलादिग्रहणं अनर्थदण्ड: भवेत् तुरीयः।। ३४७।।
અર્થ:- બિલાડાં વગેરે હિંસક જીવોને પાલન કરવા, લોખંડનો વા લોખંડ આદિના આયુધોનો વ્યાપાર કરવો-લેણ દેણ કરવી. લાખખલા આદિ શબ્દથી ઝેરી વસ્તુ આદિની લેણ-દેણ, વણજ-વ્યાપાર કરવો, એ હિંસાદાન નામનો ચોથો અનર્થદંડ છે.
ભાવાર્થ:- હિંસક જીવોનું પાલન તો નિપ્રયોજન અને પાપરૂપ પ્રગટ જ છે તથા હિંસાના કારણરૂપ શસ્ત્ર-લોહ-લાખ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com